SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ માન, માયા, લેભ–આ ચાર કષાયોને શાંત કરવા એનું નામ ધર્મ છે. એ પ્રકારે ધર્મની ભાવના ભાવવી. બાવીસ પરિષહ– જેથી દુઃખ ઉત્પન્ન થાય તે પરિષહ કહેવાય છે. એવા પરિષહ જૈનશાસ્ત્રોમાં બાવીસ બતાવેલા છે. ૧. સુધા-પરિષહ-ભૂખથી જે વેદના થાય છે તે સહન કરવી. ૨. તૃષા-પરિષહ-તરસ લાગવાથી જે દુઃખ થાય તે સહન કરવું. ૩. શીત–પરિષહ–બહુ ઠંડી લાગવાથી જે દર્દ થાય છે તે સહન કરવું ૪. ઉષ્ણ-પરિષહ– બહુ ગરમી લાગવાથી પગ બળે, શરીર બળે તે સહન કરવાં. ૫. દેશ–મશક–પરિષહ-ડાંસ, મચ્છરના કરડવા વખતે જે દુઃખ થાય તે સહન કરવું. ૬. અચેલ-પરિષહ-ફાટેલા-તૂટેલાં અથવા જીર્ણશીર્ણ કપડાંથી દુઃખી ન થવું. ૭. અરતિ–પરિષહ–ચારિત્ર પાળવામાં અરતિ અર્થાત ગ્લાનિ ન થવા દેવી. ૮. સ્ત્રી–પરિષહ–સ્ત્રીઓના હાવ-ભાવાદિ પ્રસંગમાં ચિત્તને સ્થિર રાખવું-ચલાયમાન ન થવા દેવું. ૯. ચર્યા–પરિષહ-કેઈપણ ગામ વગેરે ઉપર મોહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy