________________
જૈન ધર્મ
૯૫
૭. સત્ય–જુઠાને ત્યાગ કરવો.
૮. શૌચ–મન, વચન, કાયાની શુદ્ધિ કરવી. અંતઃકરણ સાફ રાખવું. પાપવૃત્તિમાં મનને ન લાવવું.
૯. અકિંચન~વ્યાદિ પરિગ્રહનો ત્યાગ કરવો.
૧૦. બ્રહ્મચર્ય–બ્રહ્મચર્ય પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે વીર્યની રક્ષા કરવી. બાર ભાવના :
૧, અનિત્ય ભાવના–આ શરીર, જીવન, યૌવન, ધન-ધાન્યાદિ જે દેખવામાં આવે છે તે બધાં અનિત્ય છે–નાશવાન છે, એવું મનમાં દઢ રીતે સમજવું.
૨. અશરણ ભાવના–જીવ એકલે આવ્યા છે અને એકલે જશે, એની સાથે માતા, પિતા, પુત્ર, સ્ત્રી કોઈ શરણ દઈ શકે તેમ નથી, એવું વિચારવું.
૩, સંસાર ભાવના–આ સંપૂર્ણ સંસાર કર્મનું પરિણામ છે. સુખી, દુઃખી, રેગી, શેકી, રાજા, રંક ઈત્યાદિ જેટલી પણ વિચિત્રતાઓ દેખવામાં આવે છે તે બધું કર્મનું ફળ છે. આ કર્મોના કારણે જીવ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, એ વિચાર કરે–ભાવના
કરવી.
૪. એકત્વ ભાવના–જીવ એકલે જ જન્મ લે છે અને એકલે જ જાય છે. કર્મ પણ એકલા જ કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org