________________
જૈન ધર્મ
[૨૭]
સંવર મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ આશ્રવથી અથવા આશ્રવના પ્રકરણમાં બતાવેલા ૪૨ કારણરૂપ આશ્રવોથી ઉત્પન્ન થનારાં કર્મોને રોકનાર, આત્માના શુદ્ધ ભાવોનું નામ છે “સંવર'.
જૈન શાસ્ત્રકારોએ આ સંવરના પ૭ ભેદ બતાવ્યા છે, અર્થાત સત્તાવન પ્રકારે આવતાં કર્મો અટકાવી શકાય છે.
૫૭ પ્રકાર આ પ્રમાણે છે:૫ સમિતિ ૧૨ ભાવના ૩ ગુપ્તિ
૨૨ પરિષહ ૧૦ યતિધર્મ
પ ચારિત્ર પાંચ સમિતિ –
૧. ઈર્ષા સમિતિ–ચાલવા-ફરવાની ક્રિયાના સમયે બરાબર ખ્યાલ કરવો જોઈએ; જેથી કોઈ જીવની હિંસા ન થાય.
૨. ભાષા સમિતિ–લવા સમયે ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈ પણ જીવની હિંસા ન થાય.
૩. એષણાસમિતિ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી.
૪. આદાન-નિક્ષેપ સમિતિ–પોતાના કામમાં આવનાર ચીજોને લેવા-મૂકવી હોય તે એવી રીતે લેવીમૂકવી જોઈએ જેથી કઈ પણ જીવની હિંસા ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org