________________
८८
જૈન ધર્મ
[૨૬]
આશ્રય જે દ્વારા કર્મ આવે તેનું નામ છે “આશ્રવ.” જીવરૂપ તળાવમાં કર્મરૂપ પાણી જે દ્વારા આવે તેનું નામ છે “આશ્રવ”.
આશ્રવના અનેક ભેદે છે. અર્થાત કર્મ બંધન કરાવનાર કામે સંસારમાં અનેક છે, પરંતુ આ બધાં કામોને આધાર મન, વચન અને કાયાના વ્યાપાર ઉપર રહેલો છે, કેમ કે મન, વચન, કાયાની જે શુભ પ્રવૃત્તિ હોય તે શુભ કર્મ ઉપાર્જન થાય અને અશુભ પ્રવૃત્તિ હેય. તે અશુભ કર્મ ઉપાર્જન થાય. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ જ આશ્રવ છે, એમ કહેવું અનુચિત કે અતિશક્તિ ભરેલું નથી.
જૈનશાસ્ત્રોમાં આશ્રવના ૪૨ ભેદ બતાવ્યા છે.
૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. મૈથુન, ૫. પરિગ્રહ –આ પાંચે ત્યાગ ન કરે, એનું નામ “અવતાવ”.
૬. કૅધ, ૭. માન, ૮. માયા, ૯. લેભ–આ ચાર કષાયાશ્રવ” છે.
૧૦. સ્પર્શેન્દ્રિય, ૧૧. રસેન્દ્રિય, ૧૨. ધ્રાણેન્દ્રિય, ૧૩. ચક્ષુરિન્દ્રિય અને ૧૪. શ્રોત્રેન્દ્રિય–આ પાંચે ઈન્દ્રિયોને નિયમમાં ન રાખવી, એને “ઇન્દ્રિયાશ્રવ” કહે છે.
૧૫. મન, ૧૬. વચન, ૧૭. કાયાના યોગોને ભેગાદિ વિષયોમાં જતાં ન રોકવા, એ ત્રણ “ગાશ્રવ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org