________________
જૈન ધર્મ
૧૩. અભ્યાખ્યાન–વચનભંગ કરવાથી. ૧૪. પૈશુન્ય –ચાડી ખાવાથી. ૧૫. રતિ-અરતિ–સારી લાગતી વસ્તુઓથી
ખુશ થવાથી અને વિપરીત વસ્તુઓ પર
નાખુશ થવાથી. ૧૬. પપરિવાદ–બીજાઓની નિંદા કરવાથી. ૧૭. માયા મૃષાવાદ–કપટપૂર્વક જૂઠું બોલવાથી. ૧૮. મિથ્યાત્વશલ્ય--હૃદયમાં જૂઠાં તનું શલ્ય
દુઃખ રાખવાથી. આ અઢાર કાર્યોથી મનુષ્ય પાપ ઉપાર્જન કરે છે. આ પાપનાં પરિણામમાં અનેક પ્રકારનાં દુઃખ અને અનુચિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
ચઉભગી–પુણ્ય અને પાપના સંબંધમાં જૈન શાસ્ત્રોમાં ચઉભંગી (ચાર વિભાગ) બતાવવામાં આવેલ છે, તે આ છેઃ ૧. પુણ્યાનુબંધી પુણ્ય, ૨, પુણ્યાનુબંધી પા૫, ૩, પાપાનુબંધી પુષ્ય અને ૪. પાપાનુબંધી પાપ.
૧. પૂર્વજન્મનાં જે પુણ્યફળને ભેગવતાં નવું પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ છે– “પુણ્યાનુબંધી પુણ્ય'.
૨. પૂર્વજન્મનાં જે પાપના ફળને ભેગવતાં શાંતિ, સમભાવ અને પશ્ચાત્તાપ આદિ દ્વારા પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ છે “પુણ્યાનુબંધી પાપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org