________________
જે જે માધ્યમો દ્વારા કર્મર આત્મદ્રવ્યમાં એકત્ર થાય છે તે આશ્રવ. માસમન્તત્િ સનિ પ્રવિત્તિ જ નેતિ મત્રવ: | આ આશ્રવ પાંચ છે - ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયાઓ.
इंदिय कसाय अव्यय जोगा पंच चउ पंच तिन्नि कम्मा । किरियाओ पणवीसं इमाउ ताओ अणुक्कमसो ।
આશ્રવના મુખ્ય પાંચ પ્રકાર છે તેના પેટા વિભાગ ૪૨ છે તે આ પ્રમાણે - ઇન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, યોગ ત્રણ, ક્રિયા પચ્ચીસ. ૧. ઇન્દ્રિય : - ચેતન - અચેતનમાં ભેદ ઉત્પન્ન કરનાર ચિહ્નને ઇન્દ્રિય કહેવાય છે. જેની સહાયતાથી આત્મા જ્ઞાન પ્રાપ્ત કરી શકે અર્થાત્ જ્ઞાનનું જે સાધન તે ઇન્દ્રિય.
ઇન્દ્રિય પાંચ પ્રકારની છે. - (૧) જેનાથી સ્પર્શનું જ્ઞાન થાય તે સ્પર્શેન્દ્રિય, (૨) જેનાથી સ્વાદનું જ્ઞાન થાય તે રસેન્દ્રિય, (૩) જેનાથી ગંધનું જ્ઞાન થાય તે ધ્રાણેન્દ્રિય, (૪) જેનાથી રૂપનું જ્ઞાન થાય તે ચક્ષુઇન્દ્રિય, (૫). જેનાથી શબ્દનું જ્ઞાન થાય તે શ્રોત્રેન્દ્રિય.
આ ઇન્દ્રિયોના મુખ્ય બે ભેદ છે તેમાં –
(૧) જે પુદ્ગલની આકૃતિ વિશેષ તે દ્રવ્યન્દ્રિય, (૨) જાણવાની યોગ્યતારૂપ આત્માની શક્તિ તે ભાવેન્દ્રિય.
દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે. (૧) ઇન્દ્રિયોની વિશેષ આકાર રચના તે નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય. (૨) પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની પૌલિક શક્તિ તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય.
ભાવેન્દ્રિયના બે પ્રકાર છે (૧) જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ થવા પર વિષયોનું જ્ઞાન કરવાની પ્રાપ્ત થતી શક્તિ વિશેષ તે લબ્ધિ ભાવેન્દ્રિય (૨) આ શક્તિ વિશેષ પ્રાપ્ત થવા પર વિષયોને જાણવાની આત્માની જે પ્રવૃત્તિ તે ઉપયોગ ભાવેન્દ્રિય.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org