________________
કયા સંહનનવાળો કઈ ગતિ પ્રાપ્ત કરે છે ?
જીવોમાંથી
વજઋષભનારાચસંઘયણવાળા અનુત્તરવિમાનમાં તો કોઈ ન૨ગતિમાં જાય.
ઋષભનારાચસંઘયણના ધારકજીવોમાંથી કોઈ નવપ્રૈવેયકમાં તો કોઈ છઠ્ઠી નરકમાં જાય.
નારાચસંઘયણવાળા કોઈ જીવ બારમા દેવલોકથી નવમા દેવલોક સુધીમાં તો કોઈ પાંચ નરક સુધી જાય.
અર્ધનારાચસંઘયણના ધારક જીવો કોઈ આઠમા કે સાતમા દેવલોક સુધીમાં તો કોઈ ચોથી નરક સુધી જાય.
કોઈ મોક્ષમાં, કોઈ
કીલિકાસંઘયણ ધરાવનારમાંથી કોઈ છઠ્ઠા કે પાંચમા દેવલોક સુધીમાં તો કોઈ ત્રીજી નરક સુધી જાય.
સેવાર્તસંઘયણવાળા જીવોમાંથી કોઈ ચોથાથી પહેલા દેવલોકસુધીમાં અને કોઈ બીજી કે પહેલી નરક સુધી જાય.
૫૮.
૫૭. સાદિ સંસ્થાન : જે શરીરમાં
૫૬. ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ = વટવૃક્ષ. તેની સમાન જે શરીરમાં નાભિથી ઉપરનાં અવયવો પ્રમાણસર હોય અને નાભિથી નીચેનાં અવયવો અપ્રમાણસર હોય તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન. નીચેનાં અવયવો પ્રમાણસહિત હોય અને ઉપરનાં અવયવો પ્રમાણહન હોય તે સાદિ સંસ્થાન. વામન સંસ્થાન : જેના ઉદયથી ઠીંગણાપ, પ્રાપ્ત થાય અથવા જે શરીરમાં હાથ-પગ આદિ અવયવો ટૂંકાં હોય અને પીઠ, હૃદય, ઉદર વગેરે પ્રમાણયુક્ત હોય તે વામનસંસ્થાન.
૫૯. કુબ્જ સંસ્થાન : જેના ઉદયથી કૂબડાપણું પ્રાપ્ત થાય અથવા જે શરીરમાં હાથ-પગ આદિ અવયવો સપ્રમાણ હોય અને પીઠ, ઉંદર, હૃદય વગેરે હીન હોય તે કુબ્જ સંસ્થાન.
૬૦. હુંડ સંસ્થાન જે શ૨ી૨માં સર્વ અવયવો કઢંગા-બેડોળ હોય તે હુંડ સંસ્થાન.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org