SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. પુરુષવેદ : જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય તે પુરુષવેદ. ૪૦. સ્ત્રીવેદ : જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે વિષયસુખ ભોગવવાની ઇચ્છા થાય તે સ્ત્રીવેદ ૪૧. નપુંસકવેદ : જે કર્મના ઉદયથી પુરુષ અને સ્ત્રી બંને સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય તે નપુંસકવેદ. વેદ ઉપમા જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧. પુરુષવેદ તૃણદાહસમાન અંતર્મુહૂર્ત ૨. સ્ત્રીવેદ કરીષાગ્નિસમાન(કોઉસમાન) એક સમય સાધિક સાગર શતપૃથક્વ પૂર્વોટિ પૃથક્વાધિકદેશોત્તર સો પલ્ય અનંતોકાલ ૩.નપુંસકવેદ નગરદાહસમાન એક સમય આયુષ્યકર્મ – જે કર્મના ઉદયથી જીવ જીવન ધારણ કરે અને તે પૂર્ણ થતાં મૃત્યુ પામે છે તે આયુષ્યકર્મ. આ કર્મ બેડી સમાન છે. ૪૨. નરકાયુષ્ય : જે કર્મના ઉદયથી આત્મા નારકરૂપમાં જીવન ધારણ કરે તે નરકાયુષ્ય. નામ કર્મ – નામકર્મને ચિત્રકાર સમાન કહ્યું છે. જેવી રીતે ચિત્રકાર અનેકવિધ ચિત્રો બનાવે છે તેવી રીતે નામકર્મ વિવિધ પ્રકારના દેવ, મનુષ્ય વગેરેના અનેક ચિત્ર-વિચિત્ર આકારોની રચના કરે છે. ૪૩. તિર્યંચગતિ : જે કર્મના ઉદયથી આત્મા તિર્યંચ પર્યાયને પામે છે તે તિર્યંચગતિ નામ. ૪૪. તિર્યંચાનુપૂર્વી : વિગ્રહગતિથી જીવને જે કર્મ તિર્યંચયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનમાં લઈ જાય તે તિર્યંચાનુપૂર્વી. ૪૫. નરકગતિ ઃ જે કર્મના ઉદયથી આત્મા નારક પર્યાયને પામે તે નરકગતિનામ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy