________________
છે.
પુદ્ગલ દ્રવ્યના વિશેષ પર્યાયો યાને ભિન્ન ભિન્ન અવસ્થાઓ આ પ્રમાણે
सद्दधयार - उज्जोय, पभा छाया तवो इ वा ।
વન્નમંધરસાળાસા, પુાતાનું તુ લાળ || (ઉત્ત.સૂત્ર. ૭. ૨૮, T. ૧૨)
શબ્દ = ધ્વનિરૂપ પરિણત પુદ્ગલો તે શબ્દ. આ શબ્દના બે પ્રકાર છે. પ્રાયોગિક અને વૈસસિક. કોઈ પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થતો શબ્દ તે પ્રાયોગિક. જેમકે - મુખની હવા દ્વારા વગાડાતો શંખ, બંસરી વગેરેમાંથી નીકળતો અવાજ તે પ્રાયોગિક શબ્દ. સ્વાભાવિકપણે ઉત્પન્ન થતો અવાજ જેમકે મેઘગર્જના તે વૈરુસિકશબ્દ. શબ્દના બીજી રીતે પણ ત્રણ પ્રકાર છે. અજીવશબ્દ અને મિશ્રશબ્દ.
જીવશબ્દ,
અંધકાર= ગાઢ કાળા વર્ણના પુદ્ગલોથી નિષ્પન્ન થતો તમ તે અંધકાર કહેવાય છે. તે પ્રકાશનો વિરોધી અને પૌદ્ગલિક છે.
ઉદ્યોત= ચંદ્ર, ચન્દ્રકાન્તમણિ આદિના શીતલપ્રકાશ ને ઉદ્યોત કહેવાય છે.
પ્રભા = પ્રકાશરૂપ પુદ્ગલોમાંથી નીકળતો આછો આછો પ્રકાશ તેને પ્રભા કહે છે. જેમકે રત્નોમાંથી નીકળતાં રશ્મિ તે રત્નોની પ્રભા કહેવાય છે.
છાયા – પ્રતિબિંબ ને છાયા કહેવાય છે. પ્રકાશ ઉપર આવરણ આવવાથી જે પડછાયો અથવા પ્રતિબિંબ પડે તેને છાયા કહે છે.
વર્ણ
આતપ= જે સ્વયં ઉષ્ણ નથી પરંતુ તેમાંથી નીકળતા પ્રકાશની ઉષ્ણતા અનુભવાય છે તે આતપ. જેમકે - સૂર્યનો પ્રકાશ.
—
ગંધ =
રસ =
રંગ ને વર્ણ કહે છે. તે પાંચ પ્રકારનો - કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શ્વેતવર્ણ.
ગંધ બે પ્રકારની સુગંધ અને દુર્ગંધ.
રસ પાંચ પ્રકારના - તિક્તરસ, કટુરસ, આમ્લસ, કષાય રસ અને મધુ૨સ.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
65
For Private & Personal Use Only
www.jainelibrary.org