________________
સંસારીજીવોના વિવિધપ્રકારે ભેદો આ પ્રમાણે છે
ચેતનાગુણની અપેક્ષાએ એક પ્રકારે જીવ તે ચૈતન્યલક્ષણ.
દુ:ખ પ્રતિકારક ચેષ્ટા કરવાને સમર્થ-અસમર્થના ભેદથી બે પ્રકારે જીવ તે ત્રસ અને સ્થાવર.
જાતીયસંજ્ઞાની પ્રધાનતાથી ત્રણ પ્રકારે જીવ તે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ.
સંસારીજીવો જેમાં ગમન કરે છે તે ગતિની અપેક્ષાએ ચાર પ્રકારે જીવ તે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ
વિષયોના જ્ઞાનના સાધન ભૂત ઇન્દ્રિયોની પ્રધાનતાથી પાંચ પ્રકારે જીવ તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
બાહ્યશરીરની મુખ્યતાના આધારે છ પ્રકારે જીવ તે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
I
આ રીતે દસ પ્રકારે, વીસ પ્રકારે, ચોવીસ પ્રકારે અને બત્રીસ પ્રકારે જીવોના ભેદો ગણાવ્યા છે. આ સર્વભેદો સ્વમતિથી નહિ પણ શાસ્ત્રસમ્મત છે તે દર્શાવવા માટે બાલાવબોધકારે નીચે પ્રમાણે ગાથાઓ આપી છે. ववहारियर निगोया परित्त पुढवाई चुगइपणिदी विगलतिगे चउदस, चउ-तस पणिगिंदि सुहमियरा || मिच्छे सासण मीसे अविरई देसे पत्त-अपमत्ते नियट्टि अनियट्टि सुहुमुवसम खीण सजोगी अजोगी गुणा H चउदस वा पणिगिंदिय तिरि नर सन्नियर निरय सुर विगला । पणिगिंदिय विगला सुर नर नारय जल थल खगाय 11
1
पुढवि दग अगणि मारुय वणस्सइणंता पणिदिया चउहा 1 वणपत्तेआ विगला दुविहा य सव्वे वि बत्तीसं 11
આમ બાલાવબોધકારે જીવતત્ત્વના વર્ણનમાં જીવનું લક્ષણ આપ્યું પછી સંસારીજીવોના વિવિધ ભેદો દર્શાવ્યા છે તેમાં મૂળગ્રંથ કરતાં ઘણું જ સ્પષ્ટતા પૂર્વક સમજાવેલું છે.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
For Private & Personal Use Only
www.jainelibrary.org