________________
કહેવાય છે. જેમ સ્વચ્છ થયેલ પાણીમાં કાંકરી નાંખતા પાણી ફરી ડહોળું બને છે તેમ ઉપશમ અલ્પકાલીન હોવાથી મોહનો ઉદય થતાં આત્મા પુનઃ પતન પામે છે. તેથી આ ગુણસ્થાનને ઉપશાંત કષાય-છબસ્થ-વીતરાગ ગુણસ્થાનક કહે છે. ૧૨. ક્ષણમોહ ગુણસ્થાનક ?
કષાયોનો નાશ કરવા કટીબદ્ધ થયેલ આત્મા, દસમા ગુણસ્થાનના અંતમાં લોભના ચરમઅંશનો ક્ષય કરી આ સ્થાનમાં મોહથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે તેવી અવસ્થાનું નામ ક્ષણમોહ કે ક્ષીણકષાય છે. ૧૩. સયોગી કેવલી ગુણસ્થાનક :
મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ યોગ સહિત હોય તે સયોગી કહેવાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય અને અંતરાયનો ક્ષય થવા પર જે સર્વજ્ઞ, સર્વદર્શી થયા છે પરંતુ જેના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મની હાજરીના કારણે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ શેષ રહે છે માટે તે સયોગી કેવળી કહેવાય છે. ૧૪. અયોગ કેવળી ગુણસ્થાનક ?
આધ્યાત્મિકવિકાસની આ ચરમોત્કૃષ્ટ અવસ્થા છે. શુક્લધ્યાનની પ્રકર્ષતાથી મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સર્વથા નિરોધ કરી આત્મા યોગરહિત = અયોગી બને છે અને છેવટે નિષ્પકંપ સ્થિતિને પામી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે.
આમ બાલાવબોધકારે આત્માના આધ્યાત્મિક વિકાસના ક્રમિક સોપાન - ગુણસ્થાનક દ્વારા ચૈતન્યની અશુદ્ધતમમાંથી વિશુદ્ધતમ અવસ્થાની અપેક્ષાએ જૈનદર્શન માન્ય પ્રસિદ્ધ ગુણસ્થાનક પ્રમાણે જીવના ચૌદ ભેદ વર્ણવ્યા છે.
બાલાવબોધકારે જૈનદર્શનની અનેકાન્તદૃષ્ટિનો પરિચય કરાવતાં જીવના ભેદોનો મૂળગ્રંથમાં ઉલ્લેખ ન હોય તેવા પ્રકારો પણ વિશિષ્ટ સમજણ માટે અહીં વર્ણવ્યા છે. તે માટે બાલાવબોધકારે પોતે જ કહ્યું છે કે - “મૂલસૂત્રિ અણ કહિયાઈ અધિકાર હેતુ ભણી પ્રસંગિહિ કહિઆ.'
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org