________________
કંઈક અસ્થિરતા આવે છે. અને સંજ્વલનકષાયની ઉપશાંતતાથી ફરી ચિત્તવૃત્તિમાં થોડી સ્થિરતા આવે છે. સાધકના ચિત્તની આવી ડોલાયમાન અવસ્થાને પ્રમત્તસંયત ગુણસ્થાન અને અપ્રમત્તસંયત ગુણસ્થાન કહે છે. ૮. નિવૃત્તિબાદર (અપૂર્વકરણ) ગુણસ્થાનક :
જેમાં સ્કૂલ કષાયની નિવૃત્તિ થાય છે તે નિવૃત્તિબાદરગુણસ્થાનક. આ ગુણસ્થાનમાં અપૂર્વવિશુદ્ધિ અર્થાત્ પૂર્વગુણસ્થાનોમાં આત્મામાં જે અધ્યવસાય પ્રાપ્ત નથી થયા એવા શુદ્ધપરિણામ= અપૂર્વઅધ્યવસાય પ્રાપ્ત થાય છે. જેના કા૨ણે સાધક ગુણશ્રેણિનો પ્રારંભ કરે છે.
શ્રેણિ બે પ્રકારની મોહને ઉપશાંત કરી આગળ વધતો જીવ ઉપશમશ્રેણિનો આરંભ કરે છે. મોહનો ક્ષય કરી આગળ વધવાવાળો જીવ ક્ષપકશ્રેણિ આરૂઢ થાય છે માટે આ ગુણસ્થાનને અપૂર્વકરણ પણ કહે છે. ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક ઃ
આઠમા ગુણસ્થાનવર્તી જીવના અધ્યવસાયોની વિશુદ્ધિ કરતાં અનિવૃત્તિ બાદરગુણસ્થાનવર્તી જીવના પરિમાણોની વિશુદ્ધિ અનંતગુણી અધિક હોય છે. અહીં ઉપશમ કે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત જીવ સ્થૂલ અને સૂક્ષ્મ બંને રૂપે ક્રોધ, માન, માયા આ ત્રણે કષાયોનું ઉપશમન અથવા ક્ષય કરે છે પરંતુ લોભ વિદ્યમાન છે તેથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ બાદરગુણસ્થાનક છે.
૧૦. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક :
આ સ્થાનમાં અતિઅલ્પાંશે લોભ વિદ્યમાન રહે છે અર્થાત્ સૂક્ષ્મ લોભકષાયનો ઉદય હોય છે તેથી તેને સૂક્ષ્મસંપ૨ાયગુણસ્થાનક કહે છે. ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક :
જેમ ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી મેલ નીચે બેસી જાય છે, ઉપર સ્વચ્છ પાણી દેખાય છે તેમ કષાયોના ઉપશમનથી જેનો મોહ અંતર્મુહૂર્ત માટે શાંત થાય છે તેવી ચિત્તવૃત્તિને ઉપશાંતમોહ અથવા ઉપશાંતકષાય કહેવાય છે.
મોહનો ઉપશમ થતાં આત્માના અધ્યવસાયમાં સ્વચ્છતા-વીતરાગતા આવી જાય છે પરંતુ ઘાતીકર્મોનું આવરણ બાકી રહેલું છે તેથી તે જીવ છદ્મસ્થ
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org