SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અસંયમી બની પ્રમાદી બનતો હોય છે. આ અનાત્મક અભિગમ ધરાવતી વૃત્તિપ્રવૃત્તિનું કારણ જૈન દર્શન માન્ય મિથ્યાત્વ મોહનીય છે. આ ગાઢ મિથ્યાત્વ= અવાસ્તવિક અને મૂંઝવનારી પોતાની વૃત્તિઓ જીવની સાથે નિગોદાવસ્થાથી પ્રગાઢ રીતે સંકળાયેલી હોય છે. ૨. સાસ્વાદાન ગુણસ્થાનક ઃ અનાદિકાલીન નિગોદાવસ્થામાં જીવની ભવિતવ્યતાના પરિપાકને કારણે અકાનિર્જરા કરતાં કરતાં તેની યોગ્યતા પ્રગટવાથી અને મિથ્યાત્વની તીવ્રતામાં ઘટાડો થવાથી કષાયના પરિણામોમાં થોડી કોમળતા આવે છે, જેવી રીતે પર્વતમાંથી નીકળતી નદીનો પથ્થર જ્યાં ત્યાં ટકરાઈ ટકરાઈને ગોળ અને લીસો બની જાય છે તેવી જ રીતે અનેક દુઃખોને સહન કરતાં કરતાં જીવ પણ કંઈક કોમળ અને શુદ્ધ પરિણામી બની જાય છે. પરિણામોની શુદ્ધતાના કારણે જીવ આયુષ્ય કર્મને છોડી બાકીનાં સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ ન્યૂન કરે છે. મિથ્યાત્વમોહનીય કર્મની તીવ્ર ગાંઠ જ્યાં સુધી ભેદાય નહિ ત્યાં સુધી સમ્યકૃત્વ પામી શકાય નહિ. આત્મા અધ્યવસાયની શુદ્ધિથી તીવ્ર ગાંઠને ભેદવાની ક્રિયા કરે છે તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ ગાંઠ ભેદવાની પહેલી શરૂઆત થવાથી અપૂર્વકરણ ત્યારપછી અનિવૃત્તિકરણ અને અંતઃકરણ કરે છે. અંતઃકરણ પૂર્ણ થયા બાદ જીવ સમ્યકૃત્વનો આસ્વાદ માણે છે. અહીં જીવ મિથ્યાત્વમોહનીયના દલિકોનો સંપૂર્ણ નાશ નથી કરી શકતો તેથી અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી સમ્યક્ત્વ નાશ પામે છે અને મિથ્યાત્વનો ઉદય થાય છે. મિથ્યાત્વની પ્રાપ્તિ પૂર્વે જીવને યથાર્થતાનો યત્કિંચિત્ આસ્વાદ તે સાસ્વાદાન. જાણે કે ‘અંધકાર છવાય તે પહેલાં ધુંધળી બનેલી સંધ્યાનો ઉજાસ.' ૩. મિશ્ર ગુણસ્થાનક ઃ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી જીવની ચિત્તવૃત્તિ ત્રણ પ્રકારની હોય છે. શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ. ઉપશમ સમ્યક્ત્વનો સમય પૂર્ણ થયા પછી જીવના પરિણામોમાં શુદ્ધતા વધારે હોય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે છે અને અર્ધશુદ્ધતા હોય તો જીવ શુભ (સત્ય) અને અશુભ (અસત્ય) વચ્ચે ઝૂલતો રહે છે. આવી અનિર્ણયાત્મક યા સન્દેહશીલતાની સ્થિતિ ત્રીજા Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy