________________
પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વ, આત્મા, દેહી વગેરે એકાર્ણવાચક નામો છે. ટીકા વગેરેમાં તેના તાત્ત્વિક ભેદો આ પ્રમાણે છે –
જે ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કર્માનુસાર જે શરીરને ધારણ કરે છે તેને દેવી તરીકે ઓળખવામાં આવે છે.
જીવ દેહ વગેરે ઔદયિકભાવોમાં, જ્ઞાનાદિક ક્ષાયોપશમિક ભાવોમાં તથા ગતિ વગેરેમાં સતત ભમે છે માટે જીવને આત્મા કહે છે.
સ્વકૃત શાતા, અશાતાના ઉદયથી સુખ-દુઃખને ભોગવે તે સર્વ. જે નરકાદિ ચારગતિમાં જીવે છે તે જીવ. જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી. જે થાય છે, થયા છે અને થશે તે ભૂત કહેવાય છે.
બાલાવબોધકારે જીવના લક્ષણનું વર્ણન કર્યા પછી જીવના મુખ્યતયા ચૌદ ભેદ ગાથા દ્વારા વર્ણવ્યા છે. તેમાં - એકેન્દ્રિયના સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા, પર્યાપ્તારૂપ - ૪ ભેદ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના અપર્યાપ્તા, પર્યાપ્તારૂપ - ભેદ, અને પંચેન્દ્રિયના અસંશી, સંજ્ઞી, અપર્યાપ્તા, પર્યાપ્તા રૂપ – ૪ ભેદ, એમ સર્વે મળીને કુલ
૧૪ ભેદ. બાદર એકેન્દ્રિયના પાંચ ભેદોમાં બાદર પૃથ્વીકાયનાં નામો જેવાં કે – હિંગલો, પારો, રત્ન, કૃષ્ણરાજી વગેરે બતાવ્યા છે. તેમાં પૃથ્વીકાય રૂ૫ કૃષ્ણરાજીનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. કૃષ્ણરાજી :
આઠ કાળી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલોથી નિષ્પન્ન આ કૃષ્ણરાજી પાંચમા બ્રહ્મદેવલોકના ત્રીજા રિષ્ટ નામના ઇંદ્રકવિમાનના પ્રતરમાં સચિત્તાચિત્ત રૂપ છે. તે કૃષ્ણરાજીનો વિધ્વંભ-સંખ્યાતયોજનનો અને આયામ અસંખ્યાતયોજનનો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાના બબે છેડે આઠ કૃષ્ણરાજી રહેલી છે. તેમાં પૂર્વ અને પશ્ચિમમાં બહારના ભાગની બે કૃષ્ણરાજી ષટ્કોણ આકારની છે. ઉત્તર અને દક્ષિણમાં બહારના ભાગની બે કૃષ્ણરાજી ત્રિકોણાકાર છે. અંદરની ચારે કૃષ્ણરાજી ચતુષ્કોણાકારે છે.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org