SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણરાજી ગાઢ અંધકારમય હોવાથી ભયભીત થયેલા દેવોને પ્રચ્છન્ન = છૂપાવાનું સ્થાન છે. આ કૃષ્ણરાજીમાં વૈમાનિકદેવો વૈક્રિયલબ્ધિથી ગાજવીજ સહિત નિર્જીવ પુદ્ગલોનો વરસાદ વરસાવે છે. બાદર અપકાયના વર્ણનમાં અકાયરૂપ તમસ્કાય વિસ્તૃત વર્ણવેલ છે— તમસ્કાય : અરુણવરસમુદ્રના ઉપરના તલથી ઊંચા ઉછળેલા પાણી રૂપ મહાકૃષ્ણ બાદર અપકાયરૂપ તમસ્કાય છે. આ તમસ્કાયનું પાણી ૧૭૨૧ યોજન ઉપર જઈ પછી ત્રાંસુ વિસ્તાર પામી સૌધર્મ, ઈશાન, સનતકુમાર અને માહેન્દ્ર આ ચારે દેવલોકને આવરી લઈ પાંચમા બ્રહ્મદેવલોકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતર ઉપર થઈ ચારે દિશામાં ફેલાઈ રહ્યું છે. આ તમસ્કાય પણ ઘોર અંધકારરૂપ હોવાથી ત્રસ્ત દેવોને આશ્રયસ્થાન છે. ત્યાં પણ અસુરકુમાર આદિ દેવો અથવા વૈમાનિક દેવો વૈક્રિયલબ્ધિથી ગાજવીજયુક્ત વરસાદ વરસાવે છે. બાલાવબોધકારે પંચેન્દ્રિયજીવોના સંજ્ઞી તથા અસંજ્ઞી ભેદના વર્ણનમાં ત્રણ પ્રકારની સંજ્ઞાનું વર્ણન કરી કોને સંશી અને કોને અસંશી કહેવાય તે બતાવ્યું છે. હેતુવાદિકી સંજ્ઞા : દેહના પાલન માટે ઇષ્ટનું ગ્રહણ અને અનિષ્ટનો ત્યાગ. દૃષ્ટિવાદિકી સંજ્ઞા : જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોને સારી રીતે જાણે. દીર્ઘકાલિકી સંજ્ઞા : મનમાં આગળ-પાછળનો વિચાર કરીને કાર્ય કરે. જે જીવોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે સંજ્ઞીજીવ કહેવાય. અસંશીજીવોમાં સંજ્ઞાનો સદંતર અભાવ છે એવું નથી પરંતુ તેમની સંજ્ઞા સ્પષ્ટ કે વ્યક્ત નથી હોતી પણ અવ્યક્ત હોય છે, એટલે અસંજ્ઞી કહેવાય છે. આ બાબતને બાલાવબોધકારે દીનારના દૃષ્ટાંતથી સમજાવી છે— “જિમ Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy