________________
ક નાહ ? એવો સંશય થતો હોય તેને જ્ઞાન છે. જેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિષે ચર્ચા થતી હોય તે વસ્તુ હંમેશા વિદ્યમાન છે, તેથી પણ આત્માનું
અસ્તિત્વ સિદ્ધ થાય છે. કોઈ માણસ આકાશપુષ્પો કે ખરવિષાણના ગુણો વર્ણવી શકતો નથી કે તેના અસ્તિત્વની ચર્ચા પણ થતી નથી. ભારતીય છએ દર્શનોમાં આત્માના અસ્તિત્વ અને તેના ગુણો વિષે ચર્ચા થયેલી છે એ બાબત જ સિદ્ધ કરે છે કે આત્માનું અસ્તિત્વ છે. જીવ શબ્દની સિદ્ધિ :
નીત- ન ધારતિ : ૪ ની:'_ જે જીવનને ધારણ કરે, પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. “કવિતવન્તો નવન્તિ નવિણનીતિ વા વીર: 10 જીવના આ લક્ષણ દ્વારા જીવની ત્રિકાલાબાધિત સત્તાનો સ્વીકાર કરવામાં આવે છે. પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણોને ધારણ કરે તે જીવ. આ પ્રાણધારણની પ્રક્રિયા શરીરધારી આત્માઓને જ ઘટે છે, મુક્ત આત્માઓને નહિ. જેના દ્વારા સંસારી જીવો જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે તે પ્રાણો દશ પ્રકારના છે. સર્વસંસારી જીવ પોતપોતાની યોગ્યતા અનુસાર પ્રાણોને ધારણ કરે છે. સામાન્યતયા પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ નામો જ પ્રચલિત
છે.
જ્યારે “ઉત્તરાધ્યયન સ્ત્રીની બૃહદવૃત્તિમાં પાંચ ઇન્દ્રિય, મન, ક્રોધ, માન, માયા અને લોભ આ દશ નામો ભાવજીવના લક્ષણ તરીકે જણાવ્યાં છે. કષાયનું પ્રાણોમાં વર્ણન કરવાથી પ્રાણધારણની પ્રક્રિયા દેહધારી આત્માઓને જ ઘટે છે. કષાય એ સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી કષાયોની પ્રાણોમાં ગણતરી કરવામાં આવે છે. આ હેતુથી અહી એવા સિદ્ધોને તો જીવ કહ્યા જ નથી.12
અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાત્મક એવા સિદ્ધોનું સ્વરૂપ તો નકારાત્મક શબ્દોથી વર્ણવ્યું છે.' જીવના પર્યાયવાચી નામો:
નરકાદિ ચાર ગતિમાં શ્વાસોચ્છવાસ રૂપ જીવનને ધારણ કરતાં જીવના
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org