________________
જિજ્ઞાસુ જો મંદબુદ્ધિનો હોય તો પ્રતિપાદન વિસ્તારથી કરવામાં આવે છે. સ્યાદ્વાદને માનનારા જૈનદર્શનમાં સાપેક્ષરીતે જુદી જુદી સંખ્યામાં જે તત્ત્વોનો સ્વીકાર કર્યો છે તેમાં સૌથી વધુ પ્રચલિત નવતત્ત્વો છે. કેટલાક ઠેકાણે સાતતત્ત્વો દર્શાવ્યાં છે. તેમાં પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વને આશ્રવતત્ત્વમાં સમાવિષ્ટ કર્યા છે. શેય, હેય અને ઉપાદેય રૂપ ત્રણ પ્રકારનાં તત્ત્વો પણ કહ્યાં છે. સાધક આત્મા જીવ અને અજીવને જાણે નહિ ત્યાં સુધી તે સંયમને કેવી રીતે સમજે ? તેથી જીવ અને અજીવને શેય = જાણવા યોગ્ય કહ્યા છે. જન્મમરણરૂપ સંસારનું કારણ આશ્રવ, પુણ્ય, પાપ અને બંધ છે. તેથી તે હેય = છોડવા યોગ્ય છે. જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવવી તે મોક્ષ છે, તે મોક્ષના સાધનરૂપ સંવર અને નિર્જરા છે તેથી સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય = આદરવા યોગ્ય છે.
સમસ્તવિશ્વની રચના ચૈતન્ય અને જડના કારણે છે. જીવ અને અજીવના સંયોગ-વિયોગથી આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ થાય છે. તેમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ જડની અર્થાત્ યુગલની અવસ્થા છે તેથી તેનો સમાવેશ અજીવતત્ત્વમાં થઈ જાય છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ચૈતન્યના પર્યાય છે તેથી તેનો સમાવેશ જીવતત્ત્વમાં થઈ જાય છે. આમ સંક્ષેપથી બે તત્ત્વો પણ ગણાવ્યાં છે. જૈનદર્શન માન્ય તત્ત્વનું જે લક્ષણ છે – “તસ્ય માવસ્તત્ત્વ તે બે, ત્રણ, પાંચ, સાત કે નવ પદાર્થોમાં ઘટી શકે છે. જીવ, અજીવ વગેરે પદાર્થોમાં “તત્ત્વતા' સામાન્ય છે, પરંતુ વિવરણ, વિભાગીકરણના દૃષ્ટિકોણથી સંખ્યામાં તામ્ય જોવા મળે છે.
જીવ - જ્ઞાતા, ભોક્તા, શુભાશુભકર્મોનો કર્તા, કર્મબંધ અને કર્મક્ષયનો વિધાયક છે માટે તત્ત્વોમાં સૌ પ્રથમ જીવતત્ત્વ કહ્યું છે.
દેહ, ઇન્દ્રિય દ્વારા દષ્ટિગોચર થતા જીવનો પુદ્ગલ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી તેમજ ગમનાગમન વગેરે ક્રિયાઓમાં કે સ્પર્ધાદિ વિષયોને ગ્રહણ કરી સુખદુઃખનો અનુભવ કરવામાં પુદ્ગલનું પ્રબળ આલંબન હોવાથી જીવ પછી બીજા નંબરે અજીવતત્ત્વ મૂક્યું છે.
જીવે કરેલ કર્મબંધનું પરિણામ પુણ્ય અને પાપ છે. જગતમાં જીવ માત્ર સુખની આકાંક્ષા રાખે છે, દુઃખને ઇચ્છતો નથી તેથી જીવ-અજીવ પછી પુણ્ય અને પાપતત્વ કહ્યાં છે.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org