________________
૪
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
જૈનદર્શનની તત્ત્વધારાનો આરંભ ગણધર ભગવંતોના પ્રશ્ન “યવં ષ્ઠિ તત્ત્ત”થી થાય છે. તીર્થંકર ભગવંતો તેના જવાબરૂપે – “પ્પન્નેરૂ વા વિગમેડ્ વા વેડ્ યા”, આ ત્રિપદીની પ્રરૂપણા કરે છે. જેના દ્વારા સાપેક્ષ રીતે તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે “જે ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે.” આ ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર) અને ધ્રૌવ્યાત્મક (સ્થિર)નો સિદ્ધાંત પ્રત્યેક પદાર્થ, પ્રાણી અને પરિસ્થિતિ સાથે સાપેક્ષ રીતે સંકળાયેલો છે.
આ સૂચક ત્રિપદી દ્વારા જૈનદર્શનના શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્રમાં જે બાબતોનું વર્ણન આવે છે તે કાં તો પદાર્થ વિષયક છે, કાં તો ખગોળ-ભૂગોળ આદિની ગણતરીનું છે, કાં તો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના આચાર-ક્રિયા, હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક વગેરે વિષયક છે, અથવા તો ધર્મકથા વિષયક છે. આ ચાર અનુયોગ અર્થાત્ વ્યાખ્યા દ્વારા આગમોમાં તત્ત્વવિષયક ચર્ચા થઈ છે.
Jain Education International
“તત્ત્વજ્ઞાન એ તો જૈનદર્શનનો મેરુદંડ છે” તેથી તેને સમજાવવા માટે અલગ-અલગ દૃષ્ટિકોણથી ભિન્ન ભિન્ન સંખ્યામાં તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વોની સંખ્યામાં ઓછા-વત્તાપણાનું કારણ જિજ્ઞાસુ જો કુશાગ્રબુદ્ધિનો હોય તો તત્ત્વનું પ્રતિપાદન સંક્ષેપથી કરવામાં આવે છે અને
-
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org