________________
સોમસુંદરસૂરિનો જન્મ ગુજરાતના પાલનપુર નામના ગામમાં સજ્જન નામના શ્રેષ્ઠિને ત્યાં માલ્હણદેવી નામનાં ધર્મપત્નીની કુક્ષિએ સંવત ૧૪૩૦ | ઈ. સ. ૧૩૭૪માં થયો. સોમકુમારના માતા-પિતા વિવિધ તીર્થોની યાત્રા, દાન-પુણ્યના કાર્યો કરી જૈનધર્મનું સારી રીતે આચરણ કરતાં હતાં. બાલ્યાવસ્થામાં ધર્મના રંગે રંગાયેલા સોમકુમાર સં. ૧૪૩૭ | ઈ. સ. ૧૩૮૧માં સાત વર્ષની ઉંમરે માતા-પિતાની અનુમતિપૂર્વક તપાગચ્છના જયાનંદસૂરિ પાસે દીક્ષિત બન્યા. ત્યારથી તેમનું નામ “સોમસુંદર' રાખવામાં આવ્યું. સંયમ ગ્રહણ કર્યા બાદ સતત શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્વતા પ્રાપ્ત કરી.
સં. ૧૪૫૦ | ઈ. સ. ૧૩૯૪માં દેવસુંદરસૂરિએ સોમસુંદરમુનિને ૨૦ વર્ષની ઉંમરે પાટણમાં ઉપાધ્યાય-વાચક પદથી વિભૂષિત કર્યા. ઉપાધ્યાયની પદવી પામ્યા પછી વિવિધ પ્રકારની શાસનસેવા કરી, જિનશાસનનો પ્રભાવ વધાર્યો.
ત્યારબાદ સં. ૧૪૫૭ | ઈ.સ. ૧૪૦૧માં દેવસુંદરસૂરિએ સોમસુંદર ઉપાધ્યાયને ૨૭ વર્ષની ઉંમરે પાટણમાં અદ્ભુત મહોત્સવપૂર્વક આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ સોમસુંદરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આચાર્ય પદારૂઢ થયા બાદ જૈનધર્મના મહોત્સવો જેવાકે – મંદિર નિર્માણ, આચાર્યપદ, ઉપાધ્યાયપદ પ્રદાન, તેની ઉજવણી, ગિરનાર-શત્રુંજય વગેરે તીર્થોની સંઘયાત્રા, તીર્થોનો જીર્ણોદ્ધાર વગેરે અનેકવિધ શાસનસેવાઓ કરી. સાથે સાથે પ્રાપ્ત જ્ઞાનધનને વ્યવસ્થિત સાચવવા માટે જ્ઞાનભંડારોની સંભાળ તથા ગ્રંથો-તાડપત્રીય પ્રતોમાંથી કાગળની પ્રતોમાં લેખન આદિ મૂલ્યવાન જ્ઞાનસેવા પણ બજાવી હતી.
તેથી સોમસુંદરસૂરિના જીવનકાળના આ મહત્ત્વના અર્ધશતકને સોમસુંદરયુગ” એવું નામ આપી શકાય છે.
સોમસુંદરસૂરિ સ્વયં કુશળ સાહિત્યકાર હતા. સાહિત્યરચના દ્વારા તેમના પાંડિત્ય અને ભાષાકૌશલ્યનો સુપેરે પરિચય થાય છે. સોમસુંદરસૂરિએ સાહિત્યરચનામાં મુખ્યતયા બાલાવબોધોને સ્થાન આપ્યું છે. જેવા કે –
ઉપદેશમાલાબાલાવબોધ : ર. ઈ. સ. ૧૪૨૯ | વિ. સં. ૧૪૮૫ ષષ્ટિશતક બાલાવબોધ : ૨. ઈ. સ. ૧૪૪૦/વિ. ૧૪૯૬ (પ્રકા.) યોગશાસ્ત્ર બાલાવબોધ : - - (અંશતઃ પ્રકા.) પડાવશ્યક બાલાવબોધ :
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
४०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org