SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તપ્રત (લા.દ.ભા.મં.- અમદાવાદ સૂચિ ક્રમાંક ૫૫૨૦)ને આ શોધનબંધ તૈયાર કરવા માટે મુખ્ય પ્રત તરીકે સ્વીકારી છે. પ્રસ્તુત સંપાદનના ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતોમાંથી લેખનવર્ષ (સં. ૧૫૫૮) દર્શાવતી હસ્તપ્રત, જેની સંજ્ઞા L.2 છે. તેનો ઉપયોગ પાઠાન્તર લેવામાં કર્યો છે. કારણ કે તેમાં પદાર્થની છણાવટમાં, વર્ણનમાં ક્યાંક ક્યાંક અસંગતતા છે. વળી પાઠો ભ્રષ્ટ પણ ઘણા છે. આમ અન્ય પ્રતોની અપેક્ષાએ L.1ની હસ્તપ્રત પ્રાયઃ લિપિની શુદ્ધતાવાળી છે. ક્યાંક અપવાદ બાદ કરતાં પદાર્થોની છણાવટ વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. બાલાવબોધની રચનામાં મૂળ ગાથા સંસ્કૃત યા પ્રાકૃતમાં આપી તેનો અનુવાદ કરવો, અસ્પષ્ટ શબ્દોની સમજૂતી આપવી આ પ્રથા હોય છે. પ્રસ્તુત બાલાવબોધના કર્તા પણ એ જ પ્રથાને અનુસર્યા છે. આ બાલાવબોધમાં કુલ ૭૮ ગાથાઓ છે. તેનો વિસ્તાર ૧૭૫૦ ગ્રંથાગ્ર જેટલો છે. આ બાલાવબોધમાં કેટલાક પદાર્થોનું વિવરણ મૂળગ્રંથ નવતત્ત્વ અને તેના બીજા બાલાવબોધમાં ન હોવા છતાં અન્ય આગમગ્રંથો, પ્રકીર્ણક ગ્રંથોના આધારે ક૨વામાં આવ્યું છે. તે પદાર્થોનો વિષયનિર્દેશ આ પ્રમાણે છે. જીવતત્ત્વ : 1. 1. 1. બાદર પૃથ્વીકાયમાં કૃષ્ણરાજીનું સચિત્ર વર્ણન. બાદર અપકાયમાં તમસ્કાયનું સચિત્ર વર્ણન. બાદર વનસ્પતિકાયમાં વનસ્પતિના ભેદો, પ્રભેદો, સોળ સંજ્ઞાનું સ્વરૂપ, તેમાં કઈ વનસ્પતિને કઈ સંજ્ઞા હોય તેનું વર્ણન. 1. જીવના ચૌદ ભેદમાં ચૌદ ગુણસ્થાનનું વિસ્તૃત વર્ણન. અજીવતત્ત્વ : 1. આશ્રવતત્ત્વ : 1. = 1. સંવરતત્ત્વ : 1. પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદમાં ૫૨માણુનું વિશદ વર્ણન કર્યું છે. કર્મ આવવાનાં કારણોમાં પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ તેના વિષયનું વિસ્તૃત વર્ણન છે. આઠ કર્મોનો આશ્રવ દર્શાવ્યો છે. ચારિત્રના પાંચ ભેદનું ભેદ-પ્રભેદ સહિત વિસ્તારથી વર્ણન છે. Jain Education International નવતત્ત્વ પ્રકરણ ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy