________________
L.2: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની
હસ્તપ્રતનો નંબર ૩૬૧૫ છે. પ્રતનું પરિમાણ 27 X 11.2 સે.મિ. છે. પત્ર ૨૦ છે. પ્રતિ પત્ર ઉપર ૧૪ પંક્તિ છે. પ્રતિ પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્ર ક્રમાંક જમણી બાજુ હાંસિયામાં બતાવ્યા છે. લેખનસમય સંવત્ ૧૫૫૮ (ઈ. સ. ૧૫૦૨) છે. પ્રતની સ્થિતિ પ્રાયઃ સારી કહી શકાય. લિપિ સુવાચ્ય છે. તત્ત્વ વગેરેનાં લક્ષણો ક્યાંક સંસ્કૃતમાં દર્શાવ્યાં છે. ક્યાંક પદાર્થની છણાવટ માત્ર ગાથારૂપે જ કરેલ છે.
શરૂઆતમાં અહીં છે. અંતમાં ભલે મીંડું છે. આદિ –
(આર્યા છંદ) श्रीवीरक्रमकमलं, नत्वा नवतत्त्वसूत्रवृत्तिमहम् । प्राकृत-वचनैर्जनतो-पयोगिभिर्मुत्कलैः कुर्वे ।।१।।
(ઉપજાતિ છંદ) श्रीवर्धमानप्रभुपादपद्ममनेकलब्धिप्रदमानतानां
नत्वा प्रकुर्वे नवतत्त्वसूत्रव्याख्यां समैर्मुत्कल लोकवाक्यैः ।।२।। અંત -
हर्षवर्धनगणिर्नवतत्त्व चूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालबोधनकृते जनतोक्त्या शोधयंतु सुजिनागमविज्ञाः ।।१।।
પુષ્પિકા : इति नवतत्त्वविवरणं बालावबोध समाप्तं ।।६।। संवत १५५८ वर्षे भाद्रपदमासे कृष्णपक्षे पंचम्या तिथौ - बुधवासरे
સન્ન રનવત્નમેન નેત્રિ શ્રી || P1: હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણના હસ્તપ્રતના ગ્રંથાગારમાં
સંગ્રહાયેલી આ હસ્તપ્રતનો નંબર ૧૦૯૬ છે. પ્રતનું પરિમાણ 10.1 X 4. સે મિ. છે. તેના પત્ર ૧૪ છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિઓમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્રનંબર જમણી બાજુ
-
-
નવતત્ત્વ પ્રકરણ
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org