________________
આદિપદ :
श्रीमत्तपगणभर्तृ श्रीविजयरानंदसूरिराजानं, तत्पेट्टेऽलंकुर्वति सूरिवरे विजय राजाऽऽहवे ।। १ ।। विबुधवरगुणविजयांतिषदा, बुधमानविजयगणिनाम्ना, नवतत्त्वाऽर्थोऽयं लिखितः स्वान्योपकाराय ||२|| ‘નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ' પર જ્ઞાત કે અજ્ઞાત કર્તાઓની અનેક હસ્તપ્રતો અમદાવાદ, પાટણ, વડોદરા, રાજકોટ, લીંબડી, જેસલમેર વગેરે અનેક સ્થળોના જૈન ગ્રંથભંડારોમાં જોવા મળે છે.
(ઈ.સ. ૧૩૭૪-૧૪૩૩, વિ. સં. ૧૪૩૦-૧૪૯૯)માં તપાગચ્છના આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ થયા. જેમને અનેક વિદ્વાન શિષ્યો હતા. તેઓએ વિવિધ વિષયો ઉપર સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં પ્રસ્તુત બાલાવબોધના કર્તા શ્રી હર્ષવર્ધનગણિનું નામ જોવા મળતું નથી. તેમજ આ હર્ષવર્ધનગણિની અન્ય કોઈ કૃતિ હોય તેવું પણ જાણી શકાયું નથી.
‘નવતત્ત્વ પ્રકરણ’ બાલાવબોધની રચના કરી લેખકે તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયને સાદી સરળ ભાષા દ્વારા સામાન્યજન (બાલજન) પણ સમજી શકે તેવો પ્રયાસ કર્યો છે. તેમાં આવતી પ્રક્ષિપ્ત ગાથાઓ, વિશેષ પદાર્થ વિવરણ તેમજ “ઈશુ ભગવતી પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં, કર્મપ્રકૃતિ પ્રમુખ ગ્રંથ-માંહિ કહિઉં, તત્ત્વાર્થગ્રંથ કર્તા ઇસિવું કહઇ” વગેરે વાક્યાંશો જોતાં પ્રસ્તુત ‘નવતત્ત્વ પ્રકરણ' એક અજ્ઞાતકર્તૃક સંગ્રહગ્રંથ ચોક્કસપણે માની શકાય.
આ ઉપરથી એવું નક્કી કરી શકાય કે હર્ષવર્ધન ગણિના સમયમાં અને તેની પહેલા અને પછી પણ ‘નવતત્ત્વ પ્રકરણ' ઉપર સંખ્યાબંધ બાલાવબોધો રચાયા છે.
પ્રતિ પરિચય :
પ્રસ્તુત સંપાદનમાં જે ચાર હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તેમાં બે
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org