________________
લોમાહાર
વાચનાચાર્ય
વાસુદેવ
વિકલેન્દ્રિય
વિશુદ્ધમાનક
વિરાધના
વિહાયોગતિ
વેદ
વેદકસમ્યકૃત્વ
Jain Education International
પાંચમાંસ્વર્ગના અંતે કૃષ્ણરાજીની રેખાઓના અંતરાલમાં હોય છે તેઓ એકાવતારી હોય છે. શરીરના રોમ દ્વારા, બાહ્યત્વચા દ્વારા જે પુદ્ગલો ગ્રહણ કરાય તે લોમાહાર.
જે સાધુ વાચના આપવામાં કુશળ હોય તે વાચનાચાર્ય. આ સાધુને ઉપાધ્યાયજી વાચના આપવાનો અધિકાર આપે છે.
૬૩ શલાકા (ઉત્તમ-શ્રેષ્ઠ) પુરૂષમાંના એક મહાપુરુષ. તેઓ ત્રણખંડ પૃથ્વીના અધિપતિ હોય છે. સાત ઉત્તમરત્નોના માલિક હોય છે. તેમના મોટાભાઈ ‘બલદેવ' કહેવાય છે.
જે જીવોને ઇંદ્રિયોની વિકલતા = ઓછાપણું છે તે વિકલેન્દ્રિય. બે, ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા જીવો. તેને બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય જીવો પણ કહેવાય છે.
ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ચઢતા સાધકનું ચારિત્ર, કારણ કે શ્રેણિમાં ચઢતાં સાધકના પરિણામો વિશુદ્ધ હોય છે.
ભગવાનના વચન વિરુદ્ધ આચરવું. જ્ઞાનાદિનું સમ્યક્ પાલન ન કરવું.
વિહાયસ્ = આકાશ, તેમાં ગમન કરવું તે વિહાયોગતિ. તે નામકર્મનો એક ભેદ છે. તેના કારણે ત્રસજીવોને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
પોતાનાથી વિજાતીય એવા સ્ત્રીપુરુષ પ્રત્યે મોહમિથુનભાવ જાગે, આકર્ષણની લાગણીનું સંવેદન થાય તે વેદ.
સમ્યકૃત્વી જીવ જ્યારે સમ્યકત્વર્મોહનીયના પુદ્ગલોના રસનો અનુભવ-સંવેદન કરે તેને
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org