SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુ પર્યાપ્તિ પર્વબીજ પરીષહ પલ્યોપમ પારિણામિકભાવ Jain Education International તેમાં સહાયક મનોવૃત્તિઓ તે નોકષાય. કાર્યો કરતાં તેનું બળ ઓછું હોય છે અર્થાત્ તે અલ્પકષાય છે. પુદ્ગલનો નાનામાં નાનો ભાગ, અવિભાજ્ય અંશ તે. જીવોની સ્વયોગ્ય જીવનશક્તિ તે પર્યાપ્તિ. આત્મા પોતાને યોગ્ય જીવન શક્તિ ચલાવવાના સાધનો પ્રાપ્ત કરે તેને પર્યાપ્તિ કહે છે. જે વનસ્પતિમાં ગાંઠમાં બીજ હોય તે પર્વબીજ. જેમકે - ઇશુ વગેરે. શારીરિક અને માનસિક પીડાને સ્વેચ્છા અને સમભાવ પૂર્વક સહન કરવી તે પરીષહ. — પલ્ય = પાલો. એક વિશેષ પ્રકારનું માપ. તેની ઉપમા દ્વારા જે સમયની ગણના કરવામાં આવે છે તે પલ્યોપમ કહેવાય છે. સંખ્યા દ્વારા તે સૂચિત કરી શકાતો નથી પરંતુ તેને સમજવા માટે એક કલ્પના કરવામાં આવી છે કે • એક યોજનનો લાંબો-પહોળો કૂવો હોય, સાત દિવસનું જન્મેલું યુગલિક મનુષ્યના બાળકના વાળના અગ્રભાગથી ખીચોખીચ ભરવામાં આવે અને ત્યારપછી સો સો વર્ષ બાદ એકેક વાલાગ્ર કાઢતાં જેટલો સમય લાગે તે કાળને પલ્યોપમ કહેવાય છે. રૂપે જીવાદિ દ્રવ્યોનું સ્વાભાવિક પરિણમન=પરિવર્તન થવું તે પારિણામિક ભાવ, તેમાં કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની અપેક્ષા રહેતી નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૬૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy