SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ કિવિષિક કેવલી કેવલ સમુદ્દાત કૃષ્ણરાજી ગતિ ગણ ગણધર Jain Education International એક આચાર્યનો જે શિષ્ય પરિવાર તે કુલ. જેમકે - ચંદ્રકુલ. દેવોમાં જે અંત્યજ = શુદ્ર સમાન હોય તે કિલ્ટિષિક. તેમનું કાર્ય અંત્યજ જેવું ઢોલ વગાડવા વગેરેનું હોય છે. ચારઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં જે સર્વકાલીન,સંપૂર્ણજ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનના ધારક મહાન આત્માને કેવલી કહે .. કોઈક કેવલી ભગવંતનું અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે અંતર્મુહૂર્તથી વધુ સ્થિતિવાળા વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મને આયુષ્યની સમાન સ્થિતિવાળા કરવા માટે આત્મપ્રદેશને ચૌદરાજ લોકવ્યાપી કરવા પડે છે. આ પ્રક્રિયા ને કેવલસમુદ્દાત કહે છે તે આઠ સમય પ્રમાણ છે. પાંચમાદેવલોકની ઊપર અને લોકાંતિકદેવોના વિમાનને ફરતી કૃષ્ણવર્ણના પુદ્ગલની આઠ રેખાઓ છે તે કૃષ્ણરાજી. તે આઠે સ્વસ્તિક જેવા આકારે ગોઠવાયેલી છે. ગમન. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવું. જીવનું એક જન્મ ભવમાંથી બીજા ભવમાં ગમન તે ગતિ. જુદા-જુદા આચાર્યોના પરસ્પર સમાન વાચનાવાળા શિષ્યોનો સમુહ તે. ગણની વ્યવસ્થા કરે તે ગણધર. તીર્થંકરના પ્રધાન શિષ્ય, જે તીર્થંકરના ઉપદેશને સૂત્રરૂપમાં ગ્રંથિત કરે છે. દરેક તીર્થંકર ભગવંતના ગણધરોની સંખ્યા જુદી-જુદી હોય છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy