________________
પપાતિક - આપોઆપ ઉત્પત્તિ. ઉત્પત્તિયોગ્ય સ્થાનવિશેષમાં
જે જીવો ગર્ભમાં રહ્યા વિના પોતાની મેળે
ઉત્પન્ન થાય છે તે પપાતિક. ઓપશમિકભાવ - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના શાંત
થવાથી જીવમાં કષાયની શાંતિ = ઉપશમભાવ
થાય તે પથમિકભાવ. ઓપશમિકસમ્યકત્વ- જીવના કષાયોની તીવ્રતા નાશ પામે અને
મિથ્યાત્વ દૂર થાય અર્થાત્ અનંતાનુબંધી કષાયચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃત્તિનો સર્વથા ઉપશમ થવાથી આત્મામાં ઉત્પન્ન થતાં પરિણામ વિશેષને
ઔપશમિકસમ્યકત્વ કહે છે. કર્મ
આત્માના ગુણોને આચ્છાદિત કરનારી
પૌગલિકશક્તિ તે કર્મ. તે આઠ પ્રકારના છે. કર્મભૂમિ
જ્યાં કર્મ = આજીવિકા ચલાવવા માટે વ્યાપાર
આદિ કાર્યો થાય તે ક્ષેત્ર. કલ્પ
નીતિ, સાધુજીવનની આચારસંહિતા. કલ્પાતીત
કલ્પ = મર્યાદા. જે દેવોમાં સ્વામી-સેવક, મોટાનાનાનો ભેદ નથી તે કલ્પાતીત દેવ. નવ રૈવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા દેવ કલ્પાતીત હોય છે. આત્મામાં જે કલુષિતતા - મલિનતા ઉત્પન્ન કરે તે કષાય. કષ = સંસાર, આય = પ્રાપ્તિ.
જેનાથી સંસારની પ્રાપ્તિ-વૃદ્ધિ થાય તે કષાય. કાર્મણવર્ગણા - સમાન જાતિવાળા પુગલસમુહને વર્ગણા કહેવાય
છે. જે પુદ્ગલ સમુહથી કાર્મણશરીરની સંરચના થાય તે કાર્મણવર્ગણા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૫૬
કષાય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org