SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ બદલાઈ શકે છે અર્થાત્ તેમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ આદિ શક્ય બને છે. અનિવૃત્તિકરણ - સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિના જ્યાંથી જીવ નિવૃત્ત થતો નથી અર્થાત્ પરમ વિશુદ્ધિ વડે મિથ્યાત્વગ્રંથિનું ભેદન કરી સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાન- વિમાનવાસીદેવોમાં જેમના વિમાન બધાથી પ્રધાન-શ્રેષ્ઠ છે તે અનુત્તરવિમાન. તે પાંચ છે અને તે વિમાનો બારદેવલોક, નવરૈવેયકના વિમાનોની ઉપર આવેલા છે. અનેકાન્ત એકપદાર્થમાં પરસ્પર વિરોધી અને વિવિધ એવા ધર્મો હોય છે અને તે અપેક્ષા ભેદથી પ્રધાન, ગૌણ હોય છે એવું કથન કરવું તે અનેકાન્ત. અપર્યાપ્તા (જીવો) - જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી શકે તે જીવો. અપૂર્વકરણ - જીવને પૂર્વે ક્યારેય પણ પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ થાય તે અપૂર્વકરણ. આ પરમ વિશુદ્ધ પરિણામથી આત્મા દુર્ભેદ્ય એવી રાગદ્વેષની ગ્રંથિને તોડે છે. કર્મ બંધાયા પછી જેટલા સમય સુધી બાધા ન કરે, તેટલો સમય અર્થાતું ત્યાં સુધી ઉદયમાં આવતા નથી. જેના મિથ્યાત્વનો ક્યારેય નાશ થતો નથી અને તે જીવને ક્યારેય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. તથા તે ક્યારેય મોક્ષમાં જતાં નથી તેવા જીવ. અભિગ્રહ દઢ સંકલ્પ. કરેલ સંકલ્પ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવે છે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૫૩ અબાધાકાલ અભવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy