SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરદ્વીપ અંતર્મુહૂર્ત અતિચાર અધ્યવસાયથી) મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરે છે તે અંતરકરણ. તેમાં એક અંતર્મુહૂર્ત સમય પ્રમાણમાં ભોગવી શકાય તેટલા મિથ્યાત્વના કર્મદલિકોનો વિભાગ કરવામાં આવે છે. અંતરે - અંતરે આવેલા દ્વિીપ તે અંતરદ્વીપ. લઘુહિમવંતપર્વત અને શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણસમુદ્રની અંદર ૩૦૦ યોજના પછી સો સો યોજનાના આંતરે સાત-સાત દ્વીપ આવેલા છે તે અંતરદ્વીપ, સમયનું એક વ્યવહારિકમાપ. તેમાં આંખના પલકારા જેટલા સમયથી માંડીને ૪૮ મિનિટ સુધીનો સમય આવે છે. તેને બે ઘડીનો સમય પણ કહે છે. પોતે સ્વીકારેલ વ્રતનો અજાણતા અંશથી ભંગ થાય તે અતિચાર. સમય. જે સૂર્ય, ચંદ્ર આદિની ગતિ દ્વારા પરિલક્ષિત થાય છે. તથા વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્ત રૂપ બને છે. જેમાં વિશિષ્ટરૂપે આકાર જણાતો નથી અર્થાત્ જાતિ, લિંગ, ગુણ, ક્રિયા રહિત સામાન્ય માત્રથી શેયપદાર્થનો જે અવબોધ તે અનાકારોપયોગ. આહાર = શરીરના બંધારણયોગ્ય પગલોનું ગ્રહણ અને અવસ્થા વિશેષમાં તેનું ગ્રહણ ન કરનાર જીવો તે અનાહારક. જેવાકે – વિગ્રહગતિઅવસ્થાવાનું, અયોગીકેવલી, કેવલીસમુદ્યાતાવસ્થા અને સિદ્ધાવસ્થાના જીવો. કાચા કર્મો. તે કર્મો જીવને નિયત રીતે લાગેલા હોતા નથી આથી તે કર્મ પુદ્ગલોમાં રસ, પ્રદેશ, અદ્ધા અનાકારોપયોગ - અનાહારક અનિકાચિતકર્મ - નવતત્વ પ્રકરણ બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy