________________
વિષય પ્રાયઃ રાધાકૃષ્ણ હતાં. સુરતિ = સુરતા, ધ્યાન-સ્મરણ એવું અર્થઘટન કરી રાધાને કૃષ્ણનું સ્મરણ થાય તે વર્ણવ્યું છે. જ્ઞાનના ઉપદેશ માટે જ્ઞાનની ચર્ચા, ચિત્ત કઈ રીતે નિર્મળ બને ?, જ્ઞાન માસથી શું ફળ પ્રાપ્ત થાય ? તે જ્ઞાનમાસમાં દર્શાવ્યું છે.૧૫
સમાજજીવનનું દર્શન કરાવતા માસો પણ રચાયા છે. ધનપ્રાપ્તિ અર્થે પરદેશગમન કરનાર પુરુષોને સ્વજનોનો વિયોગ થાય છે. તેમની પ્રિયતમાને કુટુંબની જવાબદારી ઉપાડવી પડે છે તેનું વર્ણન કરતા માસો પણ રચાયા છે.૧૬
સમાજમાં ખેડૂતની પ્રતિષ્ઠા, મહત્તા, તેનો સ્વતંત્ર મિજાજ, અયાચક વ્રત, કઠિન પરિશ્રમ બતાવનારી બાર મહિનાની દિનચર્યા, દૈનિક જીવનમાં બનતા બનાવોની નોંધ વગેરેનું વર્ણન કણબીના માસમાં કરવામાં આવ્યું છે. મૃતસ્વજન, દાતાર, વીર વગેરેની ગેરહાજરી પણ પ્રસંગે પ્રસંગે સતાવે છે. સમાજમાં વ્યસની પતિના કારણે ગૃહિણીના દુ:ખને વ્યક્ત કરી સમાજસુધારનો સુંદર ઉપદેશ પણ આપવામાં આવ્યો છે.૧૯
આમ મધ્યકાલીન અને અર્વાચીન કવિઓએ પોતાની કવિત્વશક્તિનો પરિચય બારમાસી કાવ્યોની રચના કરી દર્શાવ્યો છે. આખ્યાન :
રાસા-સાહિત્યના પ્રચાર માટે જૈન મુનિઓનો મોટો ફાળો હતો તેમ આખ્યાનોના પ્રચાર માટે માણભટ્ટોનો મોટો ફાળો છે. ઝારને પૂર્વવૃત્તપિત્ત: – પહેલાં બની ગયેલા બનાવોમાં લોકોની રુચિ અનુસાર થોડો ફેરફાર કરી કથાના ઘટક તત્ત્વમાં સમકાલીન સમાજજીવનના રંગો પૂરી કથા કરવી તે આખ્યાન.
- આખ્યાનનો કથાવિસ્તાર લાંબો હોય છે. શ્રોતાઓનો રસ જળવાઈ રહે તે માટે આખ્યાનકાર કથાપટને કડવાં (કડવક) નામના મુખ્ય વિભાગમાં રજૂ કરે છે, અને આ કડવાંઓમાં વિવિધ રાગોમાં ગાઈ શકાય તેવી ઢાળોની રચના કરવામાં આવે છે. તેથી વિવિધ રાગમય ઢાળબદ્ધ કડવાં' એ આખ્યાનનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. તે આખ્યાનો મોટાભાગે રાત્રિના સમયે લોકો સમક્ષ માણભટ્ટ દ્વારા માણ ઉપર વીંટીના તાલપૂર્વક ગવાતાં, વગાડાતાં અને ભજવાતાં હતાં.
આખ્યાનો મોટાભાગે રામાયણ, મહાભારત, ભાગવત પરથી રચાતાં. ક્યારેક ભક્તજીવનના પ્રસંગો પરથી પણ આખ્યાનો રચાતાં; જેમકે સગાળશા આખ્યાન, કુંવરબાઈનું મામેરું, વલ્લભાખ્યાન વગેરે. કેટલીક વાર સુધારા-વધારા
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org