SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાં શુભાશુભ કર્મોનું આગમન-આશ્રવ થાય છે. માટે યોગો ને જ આશ્રવ કહ્યાં છે. બાલાવબોધ : જીવ જેહે-જેહે પ્રકારે કર્મ બાંધઇ તેહ-તેહ ભાવ-નઉ જે ચિંતન તે આશ્રવ ભાવના. सर्वेषामात्रवाणां तु [निरोध: संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा द्रव्य-भावविभेदतः] ।। ભાવાર્થ : બધાં આશ્રવોને રોકવા તે સંવર કહેવાય છે. તે સંવર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. બાલાવબોધ : પાપકર્મ લાગવા-તણાં જે હેતુ છઇ તે નિવારવાનું ચિંતન તે સવરભાવના. संसारबीजभूतानां [कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा सकामाकामवर्जिता] ।। ભાવાર્થ : સંસારના બીજ - કારણભૂત કર્મોનું આત્મપ્રદેશોથી પૃથફ થઈ જવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. બાલાવબોધ : જેહે-જેહે પ્રકારે કર્મ ત્રોડીઇ તેહ-તેહ પ્રકારની જે ચિંતા તે નિર્જરાભાવના. स्वाख्यात: खलु धर्मोऽयं [भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे] ।। ભાવાર્થ : જિનેશ્વર ભગવંતોએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. જેનું આલંબન લેનાર જીવ સંસારસાગરમાં ડૂબતો નથી. બાલાવબોધ : જે જિનધર્મ-તણાં ઉપકાર-તણી ચિંતન તે ધર્મભાવના. कटिस्थकरवैशाख - स्थानकस्थ - नराकृतिम् । દ્રિ પૂર્ણ સ્મત્ત સ્થિત્યુત્ત-વ્યત્મિ:] || નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy