________________
અથ ભાવના બાર–અનિત્ય, અશરણ, ભવ, એકત્વ, અન્યત્વ, અશૌચ, આશ્રવ, સંવર, કર્મનિર્જરા, ધર્મસ્વાખ્યાત, લોક, બોધિ.
यत्प्रातस्तन्न मध्याह्ने [यन्मध्याह्ने न तन्निशि ।
निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता] ।। ભાવાર્થ :
પ્રાત:કાળે જે હોય છે તે મધ્યાહ્ન નથી હોતું અને જે મધ્યાહ્ન દેખાય છે તે રાત્રે હોતું નથી. માટે અફસોસ છે કે આ સંસારમાં સમસ્ત પદાર્થ અનિત્ય છે. બાલાવબોધ :
એ લક્ષ્મી, યૌવન, આયુ, કુટુંબયોગ પ્રમુખ જે અનિત્ય થાઈઇ તે અનિત્યભાવના.
इन्द्रोपेन्द्रादयोऽप्येते [यन्मृत्योर्यान्ति गोचरम् ।
મદો તખ્તતિ : શરથ: શરીરિણામ્ ?] . ભાવાર્થ :
અહો ! ઇન્દ્ર, ઉપેન્દ્ર આદિ દેવો, વાસુદેવ, ચક્રવર્તી જેવા મહાસત્તાધીશો પણ મૃત્યુને પ્રાપ્ત થાય છે તો મૃત્યુના આતંક સામે શરીરધારીઓને કોણ શરણરૂપ છે ? બાલાવબોધ :
એણઇ સંસારિ દુઃખ વારિવા જિનધર્મ ટાલી અનેરઉ સમર્થ કોઈ નહી ઇસી જે ચિંતા તે અશરણભાવના.
श्रोत्रिय: श्वपच: स्वामी, [पतिर्बह्मा कृमिश्च स: ।
संसारे नाट्ये नटवत् संसारी हन्त ! चेष्टते] ।। ભાવાર્થ :
આશ્ચર્ય છે, આ સંસારરૂપી રંગમંચ પર નટની જેમ સંસારી જીવ વિવિધ ચેષ્ટાઓ કરે છે. વિવિધ શરીરોને ધારણ કરતો જીવ ક્યારેક વેદપાઠી બ્રાહ્મણ થાય છે તો ક્યારે ચાંડાલ બને છે. ક્યારેક સ્વામી તો ક્યારેક સેવક, ક્યારેક બ્રહ્મા રૂપે તો ક્યારેક કિડા રૂપે જન્મ લે છે.
અન્યપ્રતોમાં દસયતિધર્મના વર્ણન પછી સંયમના સત્તરભેદની ગાથા લખેલી છે. બાર ભાવનાના વર્ણનમાં શ્લોકનું પ્રથમપદ આપી ફક્ત નામ માત્રથી વર્ણન કર્યું છે.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
L૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org