________________
બનાવવા માટે ચમત્કારોનું વર્ણન કરવામાં આવતું. જૈન રાસાઓમાં પ્રાયઃ ઈશ્વરકૃત ચમત્કારો નથી આવતા પરંતુ શીલના પ્રભાવથી રોગમુક્તિ;
પોતાના ચારિત્ર વિષેની શંકા દૂર કરવા અગ્નિ પરીક્ષા મેલી વિદ્યાથી મનુષ્યનું પ્રાણીમાં પરિવર્તન વગેરે આવે છે.
રાસકારોએ સમાજને નીતિ અને ધર્મનો ઉપદેશ આપવાના હેતુથી કથાનાયકો તરીકે પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક પાત્રોના જીવનને પોતાના રાસામાં વણી લીધાં છે. રાસામાં કથાઘટકોની ભરમાર વધતાં તેમાં ઊર્મિતત્ત્વ આછું અને ઓછું થતું ગયું. તે રાસાઓની એક મર્યાદારૂપ બની ગયું.
ઐતિહાસિક રાસોની રચનામાં જોવા મળતી મહત્ત્વની ઐતિહાસિક હકીકતો પરથી જાણી શકાય છે કે રાસ ઇતિહાસને પણ જાળવી રાખે છે.૧૩
રાસ દ્વારા કૌટુંબિક વ્યવહારો તેમજ પ્રજાની રાજકીય જાગૃતિનો ખ્યાલ આવે છે. પ્રજા રાજાને માન આપે, તેની આજ્ઞા માને અને છતાંય જો રાજાજ્ઞા પ્રજાના હિત વિરુદ્ધ હોય તો પ્રજા રાજકીય હિંમત દાખવતી. રાજાને પદભ્રષ્ટ કરી યોગ્ય વારસદારને સત્તા સોંપતી. આવા કાર્યમાં પ્રજા મહાજનના અવાજને અનુસરતી હતી. આ પ્રમાણે રાસ દ્વારા તત્કાલીન સમાજજીવનની પણ થોડાઘણા અંશે ઝાંખી થાય છે. ૩. ફાગુ (સં. ` = વસંતઋતુ).
ફાગણ માસના વિહારનું વર્ણન જે ગીતકાવ્યમાં કરવામાં આવે તે ફાગુ ફાગુની રચના છંદોબદ્ધ અને અલંકારયુક્ત હોય છે. ફાગુ એ ખંડકાવ્ય સમાન નાનું પ્રસંગકાવ્ય છે. ફાગુની શરૂઆત સંસ્કૃતનાં ઋતુકાવ્યોને આધારે થઈ હશે એવું માની શકાય. ફાગુની રચનાનો વિષય વસંતઋતુ હોવાથી તેમાં વસંતઋતુનું વર્ણન, પ્રિયતમ-પ્રિયતમાના સંયોગ-વિયોગનું વર્ણન કરાતું હોવાથી તેમાં ઊર્મિતત્ત્વ અને રસદર્શન સારી રીતે થાય છે. વસંતના સ્વાભાવિક સૌંદર્યના માધ્યમ દ્વારા સંયોગ-વિયોગથી ઉત્પન્ન થતા શૃંગારરસનું વર્ણન કવિ સુમધુર રસાસ્વાદથી કરે છે. પ્રણય કે શૃંગારકાવ્યનું બીજું નામ ફાગુ. જૈન ફાગુઓનો આરંભ શૃંગારરસથી કરવામાં આવે છે પણ અંતમાં ત્યાગ, સંયમ અને ઉપશમભાવ દ્વારા પૂર્ણાહુતિ પામે છે. જૈન અને જૈનેતર કવિઓના હાથે ખેડાયેલા આ મધ્યકાલીન સાહિત્યપ્રકારમાં ફાગુઓની રચના આ પ્રમાણે કરવામાં આવે છે :
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org