________________
જ વસ્તુના વર્ણનમાં અનુકરણ સાહજિક લાગે છે જેના કારણે વિરલ કવિપ્રતિભા ભાગ્યે જ જોવા મળે છે."
મધ્યકાલીન સાહિત્યના પ્રકારો ઈ. સ. ચૌદમા સૈકાથી લઈ અઢારમા સૈકા સુધીના કાલખંડને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કહેવાય છે. આ સમય દરમ્યાન અનેક સાહિત્યસ્વરૂપો ઉભવ્યાં, વિકાસ પામ્યાં, પરિવર્તિત થયાં અને નષ્ટ પણ થયાં. મધ્યકાલીન સાહિત્યના પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ અનેક રીતે જોવા મળે છે. આ સાહિત્યને પ્રેરણા આપનાર ધાર્મિક અને સામાજિક પરિબળો હતાં. મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો અર્વાચીન સાહિત્યસ્વરૂપો કરતાં ઘણાં જુદાં પડે છે. આ સમયની પદ્યરચનાઓ વૈવિધ્યસભર, રસમય કાવ્યપ્રકારોથી સમૃદ્ધ છે.
ગુજરાતી સાહિત્યમાં ભક્તિમાર્ગી આદ્ય કવિ નરસિંહ મહેતા પહેલાંનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનો અર્થ એવો ન થઈ શકે કે જૈનેતર નહીં રચાયું હોય પરંતુ જૈનોની જ્ઞાન પ્રત્યેની ભક્તિ–બહુમાન, નવસર્જન અને પ્રાપ્ત સાહિત્યને સુરક્ષિત રાખવાની નીતિના કારણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું છે અને સમૃદ્ધ બન્યું છે. ઈ. સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીનો સમય જૈન સાહિત્ય માટે પુષ્ટિવાન અને વેગવંત છે. આ સમય દરમ્યાન જૈન સાધુ, સાધ્વી તેમજ શ્રાવકોએ પોતાની કવિત્વશક્તિથી વિવિધ સાહિત્યપ્રવાહ વહેતો કર્યો.
મધ્યકાલીન સાહિત્યમાં બે પ્રકારની પદ્યરચનાઓ મળે છે : (૧) ઊર્મિ કવિતા, (૨) કથાત્મક કવિતા.
આ યુગમાં સાહિત્ય, સમાજ અને ધર્મ એકબીજા સાથે ઘનિષ્ઠ ભાવે સંકળાયેલાં હતાં. આથી એકનો એક પ્રકાર જુદા જુદા નામે ઓળખાતો. સાહિત્ય ધર્મપ્રચારનું માધ્યમ હોવાથી ઉપદેશાત્મક સાહિત્યરચના વધારે મળે છે. આ રચનામાં ધાર્મિક વાતાવરણ ચોક્કસ દેખાય છે.
મધ્યકાલીન સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ તે અભ્યાસકો માટે મનગમતો અભ્યાસનો વિષય છે. મધ્યકાલીન સાહિત્યનો પ્રારંભ પ્રાયઃ મુક્તકથી મનાય છે. ૧. મુક્તક :
મુક્તકમાં કવિઓ સંક્ષિપ્ત રચના દ્વારા સહેલાઈથી રસપ્રવાહ વહાવી
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org