SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પર એકેન્દ્રિય (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ) ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા નારક અને દેવ એ સર્વ મળી જીવના ચૌદ ભેદ થયા. અથવા પાંચ એકેન્દ્રિય + ત્રણ વિકસેન્દ્રિય + જલચર + સ્થલચર + ખેચર + નારકી + મનુષ્ય + દેવ આ બધા મળીને પણ જીવના ચૌદ ભેદ ગણાય છે. તથા એકવિધાદિક બત્રીસભેદ જીવ કહીઇ. ચૈતન્યમય જીવ એક એ ભેદ. ત્રસ અનઇ સ્થાવર એવં ૨ ભેદ પુરુષ, સ્ત્રી, નપુંસકરૂપ ત્રિણિ ભેદ. ચિહુ ગતિ ભેદિ કરી ચતુર્ભેદ. પંચઇંદ્રિય ભેદિ કરી પંચભેદ. શકાય ભેદિ કરી ખભેદ તથા પૃથ્વી, અપ, તેલ, વાયુ, અનંતકાયવનસ્પતિ એ પાંચઇ સૂક્ષ્મ-બાદર ભેદ કરી દસ ભેદ. એ દસઇ પર્યાપ્ત, અપર્યાપ્ત કરી વીસ ભેદ. પંચેન્દ્રિય સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત એવં ૨૪ ભેદ. પ્રત્યેક વનસ્પતિ, બેંદ્રિય, નેંદ્રિય, ચઉરિંદ્રિય અપર્યાપ્ત નઇ પર્યાપ્ત થઈ ૮ ભેદ, એવં પાછિલ્યા ૨૪ ભેદ મિલિ ૩૨ ભેદ જીવ. અત્ર ગાથા – પુદ્ધવિશ્વ-મન-માય-વાસ$iતા વિરા પડેટ્ટી / वण पत्तेआ विगला दुविहा य सव्वे वि बत्तीसं ।। ભાવાર્થ : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, અનંતકાય વનસ્પતિ આ પાંચ પ્રકારના જીવો સૂક્ષ્મ અને બાદર તથા અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ચાર પ્રકારે (૫ X ૪) તેથી ૨૦ ભેદ અને પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્તા, અપર્યાપ્તા એમ ચાર ભેદ તથા પ્રત્યેક વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉન્દ્રિય એ ચારના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ આઠ ભેદ = (૨૦ + ૪ + ૮ = ૩૨) સર્વ મળી જીવના બત્રીસ ભેદ થયા. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy