________________
‘જિમ બાબરકૂલ દ્વીપ વાસી લોક રક્તિઇં કરી પટ્ટફૂલ રંગઇ, તે રંગ કિમઇ ન ઉતરઇ, અગ્નિહિં બાલ્યા હૂતાં રાખ તેહૂ તે રાતી હૂઇ આગિઇં કરી રંગ ન જાઇ, તિમ જે લોભ મરણાંતિઇ ન ઊતરઇ તે કૃમિરાગ સમઉં.’
નપુંસકવેદ નગ૨દાહ સમાન છે તે બતાવતા કહે છે કે ‘જિમ નગર બલતળું મઉડઉ ઓલ્ડાઇ, ઉકરડા પ્રમુખ મસવાડે ઓલ્ડાઇ તિમ નપુંસકનઉ કામાભિલાષ મઉડઉ નિવર્તઇ.’
દહીં-ગોળના મિશ્રણના ઉદાહરણથી કાયયોગના સાતપ્રકારમાં મિશ્રકાયયોગનું સ્વરૂપ બતાવે છે કે ‘જિમ દહીં નઇ ગુલ-એકઠાં ભેલિયાં હીઇ ન કહીઇ અનઇ ગુલઇ ન કહીઇ મિશ્ર જિ કહીઇ તિમ ઔદારિક મિશ્ર કાર્યણ કાયયોગિઇં ભેગઉ હૂત કાર્યણ માહિ કાહી ન સકઇ અનઇ ઔદારિકઇ માહિઁ કહી ન સકઇ એકઇ માહિ ન કહિવરાઇ, તેહ ભણી જા ઔદારિક દેહ પૂરઉ ન થાઈ તાં ઔદારિક મિશ્ર.’ મોક્ષતત્ત્વમાં છ લેશ્યાના સ્વરૂપને સમજાવતાં દૃષ્ટાંત આપ્યું છે કે - ‘છ ચોર ગામ લૂસિવા ભણી નીકળ્યા' તે છએ ચોર કેવા કેવા પ્રકારે ગામને લૂંટવાનું વિચારે છે તે વિસ્તારપૂર્વક સમજાવેલ છે.’
(૩) બાલાવબોધની ભાષામાં કેટલાક ઠેકાણે સંસ્ક્વભાષાની અસર જોવા મળે છે આઠ કાલી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલ નિષ્પક્ષ કૃષ્ણરાજી.... સાધિક-લક્ષયોજન પ્રમાણ ઉચ્ચ નાના સંસ્થાન હુઇ.......... તેજોલેશ્યા લબ્ધિવંત પુરુષ જ્વાલા શત-સહસ્ત્ર કરી વિકરાલ..... માધુર્યાદિક-ગુણાલંકૃત સર્વરાગમય-કિંનરસ્વર-સર્વજનમોહક સ્વર ...... યથા કર્ણાહિ દૃષ્ટિ અગોચર કદંબ કુસુમાકાર અંતરંગ નિવૃત્તિ કદ્રિય છઇ....
નાશિકામાહિ અતિમુક્તક પુષ્પાકાર......
-
તિમ સ્વસ્થપુદ્ગલમય કદંબ પુષ્પાકારાઘાત્યંતર નિષ્પત્તિ તણી.... મન, વચન, કાય વક્રતા, પરવિપ્રતારણ, ચલચિત્તતા, પૈશૂન્ય, મૌખર્ય, કાર્પણ, પરહાસ્ય, પર વિડંબન, પરકુતૂહલોત્પાદન, વૈશ્યાઘલંકાર, દાન,
Jain Education International
બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા
૧૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org