________________
આમ ઠેકઠેકાણે વ્યાખ્યાસભર બાલાવબોધ આપીને પોતાની પ્રતિજ્ઞા - મુન્ને પ્રાકૃતવર્ન. નવતત્ત્વપૂત્રવૃત્તિમ્ પ્રણમ્ વર્ષે | નો નિર્વાહ કર્યો છે. બાલાવબોધકારે પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે ઉપમાઓ અને ઉદાહરણો આપ્યા છે જેમકે - પુણ્યતત્ત્વમાં - “કર્મના ઉજ્વલ પુદ્ગલ અંગીકરઇ જીવ'. અહીં ઉર્વીલ પુદ્ગલ કેવાં છે તે સમજાવવા માટે ઉપમા આપી છે કે -
ચંદ્ર જ્યોત્સના સમાન વિકલેન્દ્રિયને થોડી મનોલબ્ધિ હોવા છતાં સંજ્ઞી કેમ નથી કહેવાતા ? તેને માટે દૃષ્ટાંત આપી સમજાવે છે કે – “જિમ દીનાર મા2િઇ કરી ધનવંત ન કહાઇ, તિમ બેંદ્રિયાદિક સંપૂરા મનોબલ પાખઇ સંજ્ઞીયા ન કહી.' પ્રદેશનું સ્વરૂપ સમજાવવા લાંબી સૂચિ શ્રેણિનું ઉદાહરણ આપતા કહ્યું છે કે – પ્રદેશ=અતિ સૂક્ષ્મ ક્ષેત્ર, તે કેવી રીતે ? “યથા- અંગુલ પ્રમાણિ લાંબી પ્રદેશ હારિ રૂપ સૂચી કલ્પીછે, અનઇ તે નુક્કરવાલીના ખરીડાની પરિ એકેક - એકેકઇ પ્રતિ સમઇ નિરંતર હરીઇ..તે સૂક્ષ્મક્ષેત્ર હુઇ પ્રદેશ કહીઇ.' સર્વદ્રવ્ય એક સમયે વિશ્વની અંદર ક્વી રીતે રહે ? તે સમજાવતાં બાલાવબોધકારે સુવર્ણ અને પારાનું ઉદાહરણ આપીને કહ્યું કે - “જિમ એક ગદીઆણું પારૂ ઔષધિ વિશેષ કરી સઉ ગીઆણા સોનુ ચરઈ, પણિ તોલિ કાંઈ વાધઇ નહીં.... તિમ સૂક્ષ્મ જીવ શરીર શરીર માંહિ સમાઇ.” એક પરમાણુ સમાય ત્યાં અનંતા પરમાણુ કેવી રીતે સમાય ? એવી શંકાનું સમાધાન કરતાં બાલાવબોધકારે પાણીમાં સાકાર ના દૃષ્ટાંતથી કહ્યું છે કે - “જિમ દઢ લોહમાંહિ અગ્નિ સમાઈ અથવા પુદ્ગલરૂપ પાણીઇ વાટલઉં કંઠોકંઠિઇં ભરિલે હુઇ એક બિંદુ પાણીનલે ન સમાઇ, તૃણ લાગઇ તુ પાણી જાઇ અનઇ તેહ પાણી માંહિ તપખીર, સાકર, પરતીનાં થોડાં થોડાં હલૂઇ પરિમેહલીજી, જેતલુ પાણી છઇ તેટલી માઢેરી સાકર માઈ, જુ સાકર તેહ પાણી માહિ માઈ તકે સૂક્ષ્મ પુદ્ગલ હિં પુગલમાહિ માવાનું સિઉ સંદેહ ?' અનંતાનુબંધી લોભ કૃમિરાગ સમાન છે તે વાતને દર્શાવતા કહે છે કે
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org