________________
વિચારપ્રધાન અને બુદ્ધિપ્રધાન વિષયો – વિશ્વ, વિશ્વનું સર્જન, વિભાજન, આત્મા, મોક્ષ વગેરે તાત્ત્વિક છણાવટ - જેમાં છે તે શાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, રાજનીતિ, શિલ્પ, વ્યાકરણ વગેરે વિષયોને આવરી લેતાં શાસ્ત્રો ભારતીય સાહિત્યપરંપરામાં ત્રણ ધારાઓમાં મુખ્યતયા દૃષ્ટિગોચર થાય છે. હિન્દુ પરંપરામાં વેદ, વેદાંગ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. જૈન પરંપરામાં આગમ, પ્રકરણ વગેરે શાસ્ત્ર તરીકે પ્રચલિત છે અને બૌદ્ધ પરંપરામાં ત્રિપિટકોનો શાસ્ત્ર તરીકે ઉલ્લેખ છે.
ઊર્મિ અને કલ્પનાઓનો રસાત્મક વાણીપ્રવાહ તે કાવ્ય કહેવાય છે. ઊર્મિઓ તથા ભાવોને ઝંકૃત કરતા લલિત વાડ્મય-સાહિત્યના બંધારણની બાહ્ય કક્ષાએ બે વિભાગ છે – ગદ્ય અને પદ્ય. જેમાં છંદના બંધારણનું બંધન નથી છતાં રસથી ભરપૂર એવું અનિબદ્ધ સાહિત્ય તે ગદ્ય છે અને જેમાં છંદશાસ્ત્ર અનુસાર માત્રાઓનું, અક્ષરોનું અને પંક્તિઓનું બંધન છે તે પદ્ય છે.
આમજનતામાં જેનાથી વાગવ્યવહાર ચાલતો હોય અને અભિવ્યક્તિનું જે ગ્રામસ્વરૂપ તે બોલીઓ તથા સાહિત્યમાં સ્થાન પામેલી અને વ્યવહારનું શિષ્ટ સ્વરૂપ તે ભાષાઓ. આ બોલીઓ અને ભાષાઓનાં નામ સ્થળ, સમય આદિના કારણે જુદાં પડતાં હોય છે.
ભારતના આર્યોની ભાષા તે ભારતીય આર્યભાષા. આ ભાષાનો વિકાસ ત્રણ તબક્કામાં જોવા મળે છે. ૧. પ્રાચીન ભારતીય આર્ય ભાષાકાળ :
(ઈ. સ. પૂર્વે ૧૫૦૦થી ઈ. સ. પૂર્વે ૫૦૦) વૈદિક ભાષા અને પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા વગેરે. ૨. મધ્યમ ભારતીય આર્ય ભાષાકાળ :
(ઈ. સ. પૂર્વે ૫૦૦ થી ઈ. સ. ૧૦00) પાલી ભાષા, પ્રાકૃત ભાષા પરિવાર વગેરે. ૩. અર્વાચીન ભારતીય આર્ય ભાષાકાળ :
(ઈ. સ. ૧૦૦૦થી અત્યાર સુધી) હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેરે પ્રાદેશિક ભાષાઓ.
વેદકાલીન લોકભાષામાંથી પ્રાચીન પાલી, અર્ધમાગધી વગેરે ભાષા અને શિલાલેખની ભાષા ઉદ્ભવી. પ્રદેશ અને સમયભેદે અનુક્રમે સામાન્ય જનતાની
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org