________________
કાલદ્વાર. સિદ્ધાત્માઓ મોક્ષમાં કેટલો સમય રહેશે ? એક સિદ્ધાત્માની અપેક્ષાએ સાદિ-અનંત (આદિસહિત-અંતરહિત) અને સર્વ સિદ્ધાત્માઓની અપેક્ષાએ અનાદિ – અનંતકાલ પ્રમાણ છે. ૯. અંતરદ્વાર : દ્રવ્યોને વિવક્ષિત પર્યાય નષ્ટ થયા બાદ ફરી તે પર્યાયની પ્રાપ્તિ થાય તે વ્યવધાનને અંતર કહેવાય છે. સિદ્ધાત્માને વ્યવધાન કેટલું ? સિદ્ધાત્માને સિદ્ધપર્યાયમાંથી ફરી ચુત થવાનું નથી. તે પુનઃજન્મ નથી લેતા માટે સિદ્ધાત્મામાં અંતર નથી પરંતુ ઉત્પત્તિસમય આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું વ્યવધાન
૭. ભાગદ્વાર : કોઈ એક પદાર્થ અને બીજા પદાર્થોની વચ્ચે સંખ્યાનો તફાવત વિચારવો તે ભાગદ્વાર. સિદ્ધાત્માઓ સર્વ સંસારી જીવોની સંખ્યાના અનંતમા ભાગે છે. ૮. ભાવ દ્વાર : પથમિક, ઔદાયિક, શાયિક, લાયોપથમિક અને પરિણામિક આ પાંચ ભાવમાંથી પદાર્થ ક્યા ભાવમાં સમાવિષ્ટ થાય છે ? તેનો વિચાર તે ભાવદ્વાર. સિદ્ધાત્માને શાયિક અને પરિણામિક એ બે ભાવ હોય છે. ૯. અલ્પબહુવૈદ્વાર : પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું હીનાધિકપણું = તફાવતની વિચારણા તે અલ્પબહુર્ઘ દ્વાર. કયા સિદ્ધાત્મા અલ્પ છે? કયા સિદ્ધાત્મા વધુ છે ? સર્વથી અલ્પ નપુંસકલિંગે સિદ્ધ થયેલા આત્મા છે, તેનાથી સ્ત્રીલિંગે સિદ્ધાત્માઓ સંખ્યાતગુણા છે, તેનાથી પુરુષલિંગ સિદ્ધાત્માઓ સંખ્યાતગુણ છે. માર્ગણા એટલે શોધન. વસ્તુના સ્વરૂપનું અન્વેષણ. અહી મોક્ષના સ્વરૂપની વિચારણા કરતાં તે મોક્ષ કઈ માર્ગણામાં હોય તેનું નિદર્શન આ પ્રમાણે છે.
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org