________________
આત્મા જ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. દર્શનથી તેના ઉપર શ્રદ્ધા કરે છે. ચારિત્રથી આવતાં કર્મોને રોકે છે અને તપ દ્વારા પૂર્વબદ્ધ કર્મોનો આત્યંતિક ક્ષય કરી પરિશુદ્ધ અવસ્થાને પામે છે.20
મુક્ત આત્માઓના સ્વરૂપનું વર્ણન મોક્ષતત્ત્વમાં કરવામાં આવ્યું છે. संतपयपरुवणया दव्वपमाणं च वित्तफुसणा य 1
कालो अ अंतरं भाग भावे अप्पाबहुं चेव ।।
૧. સત્પદપ્રરૂપણા દ્વાર : સત્પદપ્રરૂપણા એટલે પદાર્થોની વિદ્યમાનતાની સાબિતી. દુનિયામાં જેટલા એકપદ વાચ્ય પદાર્થો છે તે વિદ્યમાન છે. જેનું નામ હોય તે વિદ્યમાન હોય છે. જે એકપદથી અધિક પદ વાચ્ય છે તે સત્ હોય અને અસત્ પણ હોય. મોક્ષ એ એકપદ વાચ્ય હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશપુષ્પની જેમ અવિદ્યમાન નથી.
સત્
-
૨. દ્રવ્યપ્રમાણ દ્વાર ઃ વિદ્યમાન પદાર્થોની સંખ્યાનો વિચાર કરવો તે દ્રવ્ય પ્રમાણ. દ્રવ્ય એટલે વસ્તુ એવો અર્થ થાય છે. પરંતુ આ સ્થાને જીવદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ અર્થાત્ સિદ્ધાત્માઓની સંખ્યા કેટલી એનો વિચાર કરવો. સિદ્ધાત્માઓ સંખ્યાત્મક દૃષ્ટિએ અનંતા છે.
૩. ક્ષેત્ર દ્વાર : પદાર્થોની આધારભૂત જગ્યા તે ક્ષેત્ર. કથિત પદાર્થ કેટલી જગ્યા રોકીને રહેલો છે તેનો વિચાર તે ક્ષેત્ર દ્વાર. સિદ્ધાત્માઓ કેટલા ક્ષેત્રમાં રહેલા છે ? લોકના અસંખ્યાતમા ભાગમાં એક સિદ્ધ રહે છે અને સર્વ સિદ્ધ આત્માઓ પણ લોકના અસંખ્યાત્માભાગમાં વ્યાપ્ત છે. એક સિદ્ધાત્મા માટે જે ક્ષેત્રાવસ્થાન કહ્યું તે કરતાં સર્વ સિદ્ધનું ક્ષેત્રાવસ્થાન સંખ્યાતગુણ મોટું જાણવું.
૪. સ્પર્શના દ્વાર : પદાર્થો દ્વારા સ્પષ્ટ જગ્યાની વિચારણા તે સ્પર્શનાદ્વા૨. સિદ્ધ આત્માઓ કેટલા આકાશપ્રદેશ સ્પર્શે છે ? સિદ્ધાત્મા જેટલા આકાશપ્રદેશમાં રહેલા છે તે સિવાય ચારે બાજુથી એકેક આકાશ પ્રદેશ અધિક સ્પર્શેલો છે.
૫. કાલદાર : દ્રવ્યોની સ્થિતિ = કાળમર્યાદાનો વિચાર કરવો તે
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org