SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ધોવણ, (૭) ઓસામણ, (૮) છાશની આછ, (૯) શુદ્ધ ઉકાળેલું પાણી. આ નવ પ્રકારના પાણીમાંથી કોઈપણ એક જાતનું પાણી પી શકાય. બે ઉપવાસ (છઠ્ઠ તપ)માં તલના ધોવણથી લઈ ઉકાળેલા પાણી સુધીના છ પ્રકારમાંથી કોઈ એક પ્રકારનું પાણી કલ્પ. પહેલા ત્રણ વર્ય છે. ત્રણ ઉપવાસ (અઠ્ઠમતપ)માં ઓસામણ, છાશની આછ અને ઉકાળેલું પાણી એમ ત્રણ પ્રકારના પાણીમાંથી કલ્પ. અઠ્ઠમતપથી વધારે ચાર આદિ ઉપવાસમાં એક માત્ર ઉકાળેલું પાણી કહ્યું છે. (૨) જેમાં જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે યાવત્રુથિક અનશન. ૨. ઊણોદરી : જેમાં ઉદર ઊભું રહે તે ઊણોદરી, અર્થાતુ પર્યાપ્ત ભોજનથી કંઈક ઓછું જમવું તે ઊણોદરી. તેના ત્રણ ભેદ છે. (૧) વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ યાને સાધન સામગ્રીની મર્યાદા કરવી એટલે કે આવશ્યકતા ઓછી કરવી તે ઉપકરણ ઊણોદરી. (૨) જેટલા પણ ખાદ્ય-પેય પદાર્થો છે તેની મર્યાદા કરવી તે ભક્તપાન ઊણોદરી. (૩) આંતરિક અશુભવૃત્તિઓ એટલે કે કષાયો ઓછા કરવા તે ભાવ ઊણોદરી.18 ૩. વૃત્તિ સંક્ષેપ : અભિગ્રહ પૂર્વક આહાર આદિ ગ્રહણ કરવાનો નિયમ તે વૃત્તિસંક્ષેપ. ૪. રસપરિત્યાગ : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર આ છ દ્રવ્યોને રસ કહે છે. આમાંથી એક, બે કે બધા રસના ત્યાગને રસત્યાગ કહેવાય. એટલે કે સ્વાદ પર વિજય પ્રાપ્ત કરવો તે રસપરિત્યાગ છે. ૫. કાયક્લેશ : કાયાને કષ્ટ આપવું. વિશિષ્ટ નિર્જરા માટે કેશલુંચન, આતાપના, આસન આદિ કાયિક કષ્ટોને સહન કરી શરીર પ્રત્યેના મોહભાવને દૂર કરવો તે કાયકલેશ. ૯. સંલીનતા ? આત્માને પરભાવમાંથી હટાવી સ્વભાવમાં સ્થિર કરવો નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy