SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા પણ મલિન થઈ ગયો છે. તપ દ્વારા આત્માની મલિનતા દૂર કરી આંશિક ઉજ્જવલતા પ્રાપ્ત કરી શકાય છે માટે તપ એ કર્મ નિર્જરાનું અનન્ય કારણ છે. તપ એટલે તપવું. આચાર્ય મલયગિરિજીએ કહ્યું છે કે – “જે આઠ કર્મને તપાવે અને તેને વિનષ્ટ કરવામાં સક્ષમ છે તે તપ કહેવાય.' જેનાથી પાપકર્મ તપે છે, નાશ પામે છે તે તા.17 તપના મુખ્ય બે ભેદ છે. (૧) બાહ્ય તપ (૨) આત્યંતર તપ. (૧) જેમાં શારીરિક ક્રિયાની મુખ્યતા છે અને બીજા જેને જોઈ શકે છે, જાણી શકે છે, આમજનતામાં જે તપ નામથી પ્રસિદ્ધ છે તે બાહ્યતમ કહેવાય (૨) આંતરિકવૃત્તિઓને જે તપાવે, પરિશુદ્ધ કરે તે આત્યંતરતપ. આત્મશુદ્ધિના અંતરંગ કારણરૂપ આ તપ મન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે માટે તે આત્યંતરતપ કહેવાય છે. આ બાહ્ય-આત્યંતર તપ રૂપ બાર પ્રક્રિયાઓ દ્વારા સાધ્ય થતી નિર્જરા બાર પ્રકારની છે. બાહ્યતા : अणसणमूणोअरिआ वित्तीसंख्नेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होई ।। ૧. અનશન : આહારનો ત્યાગ. ન કશનમ્ યત્ર તિ અનશનમ્ | અશન અર્થાતુ ચાર કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો તે અનશન. તેના બે પ્રકાર છે. (૧) અલ્પકાળ સુધી આહારનો ત્યાગ કરવો. જેમાં નિશ્ચિત સમય માટે આહાર આદિનો ત્યાગ કરવામાં આવે તે ઇ–રિક અનશન. અહીં બાલાવબોધકારે ઉપવાસમાં કેટલા પ્રકારનું પાણી પી શકાય તેનું નિદર્શન કર્યું છે. એક ઉપવાસમાં નવપ્રકારના અચેતવાણી કલ્પ (૧) લોટનું ધોવણ, (૨) શાક, ધાન્ય બાફીને ઓસાવેલું પાણી, (૩) ચોખાના ધોવણનું પાણી, (૪) તલના ધોવણનું પાણી, (૫) ભુંસાનું ધોવણ, (૬) જવનું નદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy