________________
તે સંલીનતા. તેના ચાર પ્રકાર. (૧) ઇન્દ્રિયોને તેના વિષયોથી હટાવી સ્વ સ્વરૂપમાં લીન થવું તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા. (૨) કષાયોથી બચવા માટે ક્રોધ, માન, માયા, લોભનું નિયંત્રણ કરવું તે કષાય પ્રતિસંલીનતા. (૩) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને કાબૂમાં રાખવી તે યોગપ્રતિસંલીનતા. (૪) વિકારોત્પાદક સ્થાનનો ત્યાગ તે વિવિક્તચર્યાપ્રતિસંલીનતા.
આત્યંતરતપ :
पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झाओ 1 झाणं उस्सग्गो वि अ अभिंतरओ तवो होइ 11
૧. પ્રાયશ્ચિત : પાપોનું શુદ્ધીકરણ. અનુચિત કાર્ય થઈ જવા પર જે પ્રક્રિયા દ્વારા ચિત્ત નિર્મળ બને તે પ્રાયશ્ચિત. ભૂલો અને પરિસ્થિતિને અનુલક્ષીને પ્રાયશ્ચિતના દસ પ્રકાર બતાવ્યા છે.
(૧) જે પાપ જેવા પ્રકારે ર્યું હોય તે બધુ યથાવત્ ગુરુ સમક્ષ રજૂ કરવું તે આલોચના. (૨) થયેલ પાપનો પશ્ચાત્તાપ કરી તે પાપોથી નિવૃત્ત થઈ પુન: તે પાપ નહિ આચરવા માટે જાગ્રત રહેવું તે પ્રતિક્રમણ. (૩) જેમાં ગુરુ સમક્ષ આલોચના અને પાપોનું પરિમાર્જન બંને હોય તે તદુભય. (૪) અજાણતાં દોષિત આહાર ગ્રહણ કર્યો હોય અને પછી ખબર પડતાં જ તેનો ત્યાગ કરે તે વિવેક. (૫) કાયોત્સર્ગ દ્વારા જે પાપની શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ. (૬) લાગેલા દોષોની શુદ્ધિ માટે ગુરુએ દર્શાવેલું તપ કરવું તે તપ. (૭) કોઈ દોષના કારણે ચારિત્ર પર્યાયનું છેદન કરાય તે છેદ. (૮) મૂળવ્રત ભંગ જેવા અતિચારમાં ફરીથી વ્રતની સ્થાપના કરાવે તે મૂલ. (૯) જે અતિચારના દંડ રૂપે બતાવેલ મોટું તપ પૂર્ણ ન થાય ત્યાંસુધી મહાવ્રત સ્થાપવામાં ન આવે તે અનવસ્થાપ્યુ. (૧૦) કોઈ મહાદોષની વિશુદ્ધિ માટે ગચ્છનો ત્યાગ કરી અને સાધુવેશને છોડી ઉગ્ર તપશ્ચર્યા કરી મહાન શાસનપ્રભાવના કર્યા બાદ ગચ્છ અને સાધુવેશની પ્રાપ્તિ થાય તે પારાંચિક પ્રાયશ્ચિત.
આ પ્રમાણે પ્રાયશ્ચિત દ્વારા હૃદય સરળ અને આત્મા શુદ્ધ બને છે.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org