________________
સર્વવિરતિ સામાયિક ચારિત્ર બે પ્રકારનું - (૧) થોડો સમય સંપૂર્ણ સાવઘયોગોનો ત્યાગ તે ઇ–રિક સામાયિક ચારિત્ર (૨) જિંદગી સુધી સંપૂર્ણ સાવઘયોગોનો ત્યાગ તે યાવત્કથિત સામાયિક ચારિત્ર. છેદોપસ્થાપનીય ચારિત્ર : દ + ઉપસ્થાપના. છેદ એટલે પહેલા જેટલા સમયની દીક્ષા પાળી હોય તેની ગણતરી નહિ કરવાની એટલે પૂર્વપર્યાયછેદ અને ઉપસ્થાપના એટલે ફરીથી મહાવ્રતોનું આરોપણ તે છેદોપસ્થાપનીય ચારિત્ર. તેના બે પ્રકાર – (૧) ઇત્વરિક સામાયિક ચારિત્રવાળા સાધુ-સાધ્વી અને તીર્થાતરમાં સંક્રમણ કરતા યાવત્કથિત સામાયિક ચારિત્રવાળાને જે છેદ-ઉપસ્થાપના થાય છે તે નિરતિચાર છેદોપસ્થાપના કહેવાય છે. (૨) કોઈકવાર અતિચારના કારણે સંયમપર્યાયનો છેદ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપના કહેવાય. પરિહારવિશુદ્ધ ચારિત્ર : પરિહાર એટલે તપોવિશેષ. વિશિષ્ટ વિશુદ્ધિમય આચારનું પાલન તે પરિહારવિશુદ્ધચારિત્ર. આ ચારિત્રમાં પરિહારતપને આદરનાર નવ મુનિઓનો સમુદાય હોય છે તેમાં એક વાચનાચાર્ય હોય છે, અને બાકીના આઠમાંથી ચાર મુનિઓ છ મહિના સુધી તપની આરાધના કરે અને બાકીના ચાર તેમની સેવા કરે છે. ત્યારબાદ બીજા છ મહિના સુધી સેવા કરનાર ચાર મુનિઓ તપની આરાધના કરે છે. અને જેઓ તપ કરતા હતા તે સેવા કરે છે. તપ કરનારને નિર્વિશમાનક કહેવાય છે અને જેમનું તપ પૂર્ણ થયું છે તેમને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. ત્યારબાદ ત્રીજા છ મહિના સુધી વાચનાચાર્ય પોતે તપ કરે છે. બાકીના તેમની સેવા કરે છે. આમ અઢાર મહિના સુધી આ તપસાધના ચાલે છે. તેઓના તપનું પ્રમાણ ઋતુ પ્રમાણે અલગ-અલગ હોય છે.
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org