________________
નિર્જરા ભાવના
પૂર્વકાલમાં બંધાયેલા કર્મોને જર્જરિત કરવાના ઉપાયોનું ચિંતવન કરવું. બંધાતા કે બંધાયેલા કર્મોને તોડનારું મહત્તમ પરિબળ તપ છે. તે તપનો વિચાર કરવો તે નિર્જરા ભાવના.
ધર્મ ભાવના : ‘ધારાવું ધર્મ ઉચ્યતે ।' દુર્ગતિમાં પડતા જીવોને જે ધારણ કરે તે ધર્મ છે. જેનાથી બધા જીવોનું કલ્યાણ થઈ શકે એવો ધર્મ આપ્તપુરુષોએ પ્રકાશ્યો છે આવા ધર્મના શુદ્ધ સ્વરૂપનું મનન કરવું તે ધર્મ ભાવના.
લોક ભાવના : આ લોક જીવ, અજીવ આદિ ષડૂદ્રવ્યમય છે. દરેક દ્રવ્યો ઉત્પત્તિ, સ્થિતિ અને ધ્રૌવ્યાત્મક હોવાથી લોક નિત્યાનિત્ય છે. આવા લોકના સ્વરૂપને સમજી તેનું ચિંતન કરવું તે લોક ભાવના. બોધિ દુર્લભ ભાવના ઃ સમ્યગ્દર્શનને બોધિદુર્લભ કહેવાય છે. બોધિ=સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી જ દુર્લભ છે. જેવી રીતે સમુદ્રમાં રત્નની પ્રાપ્તિ દુર્લભ છે તેવી રીતે ભવસમુદ્રમાં બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. આ બોધિ પ્રાપ્ત કરવાના ઉપાયોનું અનુચિંતન કરવું તે બોધિ દુર્લભ ભાવના.
આ ભાવનાના સ્વરૂપને જાણ્યા પછી તદનુસાર આચરણ કરવાથી કર્મોનું સંવરણ થાય છે અને મન સ્થિર બને છે.
૭. ચારિત્ર :
વિશિષ્ટપ્રકારનું આચરણ તે ચારિત્ર. જિનેશ્વરભગવંતની આજ્ઞા મુજબની ચર્યા તે ચારિત્ર. તેનાં પાંચ પ્રકાર છે.
સામાયિક ચારિત્ર : જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કે સમત્વની પ્રાપ્તિ તે સામાયિક. તેના ચાર પ્રકાર
(૧) દર્શન (શ્રદ્ધા)ની પ્રાપ્તિ તે સમ્યક્ત્વ સામાયિક.
(૨) સમ્યજ્ઞાનની પ્રાપ્તિ તે શ્રુત સામાયિક.
(૩) દેશથી (અંશથી) વિરતિની પ્રાપ્તિ તે દેશવિરતિ સામાયિક.
(૪) સંપૂર્ણ વિરતિની પ્રાપ્તિ તે સર્વવિરતિ સામાયિક.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org