SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવવાનું છે. કોઈ સમર્થ વ્યક્તિ પણ કોઈને તેમાંથી બચાવી શકે તેમ નથી. આમ અશરણતાનું અનુચિંતન કરવું તે અશરણ ભાવના. સંસાર ભાવના : એક ભવમાંથી બીજા ભવમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરવું તે સંસાર છે. આ સંસાર આનંદ-શોક, સુખદુઃખ આદિ વિચિત્રતાઓથી ભરેલો છે. આજે જે પ્રિયજન છે તે કોઈક ભવમાં અપ્રિય હશે કે થશે અને આજે જે અપ્રિયજન છે તે કોઈ ભવમાં પ્રિયજન હશે કે થશે. સંસારના આવા વિચિત્ર સ્વરૂપનું ચિંતન તે સંસાર ભાવના. એકત્વ ભાવના : હું એકલો છું, એકલો જન્મ્યો છું, એકલો મરવાનો છું, મારા સંચિત કર્મનાં ફળ રૂપ સુખ-દુ:ખ મારે એકલાએ જ ભોગવવાનાં છે, હું કોઈનો નથી, કોઈ મારા નથી આ પ્રકારનું ચિંતન કરવું તે એકત્વભાવના. અન્યત્વ ભાવના : આત્મા ભિન્ન છે અને શરીર ભિન્ન છે. કારણ કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને શરીર જડ છે. બાહ્યપદાર્થોમાંથી મારાપણું અર્થાત્ આત્મભાવ દૂર કરવો. આત્મા અને અનાત્માને વિવેકથી ભિન્ન સમજવા તે અન્યત્વભાવના. અચિ ભાવના : સડવું, ગળવું જેનો સ્વભાવ છે તેવા આ શરીરના બંધારણ, સ્વભાવ અને સ્થિતિનો વિચાર કરવો જોઈએ કે ઉપરથી સુંદર દેખાતું આ શરીર જેના વડે નિર્મિત થયું છે તે લોહી, માંસ, રસ વગેરે સપ્તધાતુ કેટલી અપવિત્ર, જુગુપ્સનીય અને ધૃણિત છે. આ રીતે શરીરની અશુચિતાનું ચિંતન કરવું તે અશુચિભાવના. આશ્રવભાવના : નિર્મળ અને ચિદાનંદસ્વરૂપ એવો આત્મા અષ્ટવિધ કર્મોના સંગથી અશુદ્ધ બન્યો છે. આત્મામાં કર્મો જેના દ્વારા આવે છે તે આશ્રવ. આ આશ્રવ દ્વારોનો વિચાર કરવો તે આશ્રવ ભાવના. સંવરભાવના : ચૈતન્યસ્વરૂપ એવો આત્મા પોતાની નિર્મલતાને ઢાંકનાર, કલુષિત કરનાર મિથ્યાત્વ આદિ આશ્રવોને કઈ રીતે દૂર કરી શકાય ? નવા આવતા કર્મોને કેવી રીતે અટકાવી શકાય ? તેનો વિચાર, મનન કરવું તે સંવર ભાવના. Jain Education International જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy