________________
પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના પરિત્યાગ રૂપ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કષાય ઉપર વિજય મેળવવો, જેના દ્વારા આત્મા દંડાય છે તે મન-વચન-કાયા રૂપ ત્રિદંડનો ત્યાગ અર્થાત્ ત્રિયોગનું શુભ પ્રવર્તન તે સંયમ ધર્મ. શૌચ : “શર્માવ: શીવમ્ - અંતઃકરણની પવિત્રતા તે શૌચ. અહીં બાલાવબોધકારે શૌચ શબ્દનો “અચૌર્ય' એવો અર્થ કર્યો છે તે પારકા દ્રવ્ય પ્રત્યેના લોભના ત્યાગ અર્થમાં કહ્યો છે. સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે – “પદ્રવ્યને હરી લેવાની વૃત્તિનો ત્યાગ તે શૌચા છે. 5 અન્યત્ર શૌચ શબ્દ અલોભ અર્થમાં આવેલો છે.16 આકિંચન્ય : પરિગ્રહનો પરિત્યાગ. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ અર્થાત્ શરીર આદિ બધી જ વસ્તુઓમાં મમત્વ-આસક્તિનો ત્યાગ તે અકિંચનતા ધર્મ. બ્રહ્મચર્ય : કામભોગથી વિરતિ. કામભોગને પ્રદીપ્ત કરનાર પાંચે
ઇન્દ્રિયસુખો ઉપર વિજય પ્રાપ્ત કરવો તે બ્રહ્મચર્ય. ૫. ભાવના :
એક વિષય ઉપર વારંવાર ચિંતન તે ભાવના. અધ્યવસાયની શુદ્ધિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સંસારનું સ્વરૂપ, સંસાર સાથે આત્માનો સંબંધ, તેના કારણે ઉત્પન્ન થતી મિથ્યાત્વ આદિની કલુષિતતા, તેને દૂર કરવાના ઉપાયો વગેરેનું ચિંતન તેનું નામ ભાવના.
આ ભાવનાઓના સતત અભ્યાસથી સંસાર પ્રત્યે વિરક્તભાવ જાગે છે. તે ભાવના બાર પ્રકારની છે.
અનિત્ય ભાવના : સંસારમાં જેટલા ભૌતિક પદાર્થો છે તે અનિત્ય છે. શરીર, યૌવન, રૂ૫, સંપત્તિ આ બધા વિજળીની ચમક જેવા ક્ષણભંગુર છે. આમ પદાર્થ પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરી સંસારના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવું એ. અનિત્યભાવના. અશરણ ભાવના : દુઃખ અથવા મૃત્યુ જ્યારે આવે ત્યારે તે જાતે જ
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org