SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એષણા સમિતિ : એષણા એટલે ગ્રહણ કરવું, મેળવવું. જૈનદર્શનમાં સાધકના જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ ભોજન, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવા માટેના વિશિષ્ટ નિયમો દર્શાવ્યા છે તે મુજબ કોઈને પણ દુઃખ, પીડા પહોંચાડ્યા વિના શુદ્ધ, સાત્ત્વિક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વિવેકપૂર્વક ગ્રહણ કરે તેને એષણા સમિતિ કહેવાય. આદાન-નિક્ષેપ સમિતિ : આદાન લેવું અને નિક્ષેપ = મૂકવું. સાધક પાસે વસ્ત્ર, પાત્ર, પુસ્તક, આદિ જે કાંઈ ઉપકરણો છે તેને જીવોની હિંસા ન થાય તેમ સારી રીતે જોઈને, પ્રમાજી વિવેકપૂર્વક લેવા - રાખવા તેને આદાન નિક્ષેપ સમિતિ કહેવાય. પારિષ્ઠાપનિકા સમિતિ : પરિષ્ઠાન–ત્યાગ કરવો. નિર્જનસ્થાન અર્થાત્ જીવ-જંતુરહિત જગ્યા જોઈને અનાવશ્યક પદાર્થો એટલે કે ફેંકી દેવા યોગ્ય નિરર્થક વસ્તુઓનો વિવેકપૂર્વક ત્યાગ કરવો તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય. ૨. ગુપ્તિઃ | ગુપ્તિ = ગોપન, નિગ્રહ. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તેનું નામ ગુપ્તિ. ગુપ્તિ અર્થાત્ રક્ષણ. અપ્રશસ્ત વિચાર, વાણી અને વર્તનમાં પ્રયુક્ત થતાં મન, વચન, કાયાનું રક્ષણ કરવું તે ગુપ્તિ. તેના ત્રણ પ્રકાર છે. મનગુપ્તિ ઃ અપ્રશસ્ત વિચારોનો નિગ્રહ તે મનોગુપ્તિ. તેના ત્રણ પ્રકાર (૧) મનમાંથી દુષ્ટ વિચારો કાઢી નાખવા અર્થાત્ શુભવિચારોનું ચિંતવન (૨) મનને સદા ધર્મધ્યાનમાં લીન રાખવું (૩) યોગનિરોધની અવસ્થામાં આત્મામાં સંપૂર્ણલીનતા. વચનગુપ્તિ ઃ બોલવાની ક્રિયાનો નિગ્રહ તે વચનગુપ્તિ. તેના બે પ્રકાર (૧) સંપૂર્ણ મૌન રાખવું, સંકેત આદિ પણ ન કરવા. (૨) જરૂર પડે ત્યારે મુખ આચ્છાદિત કરી ઉપયોગપૂર્વક પ્રમાણસર અને હિતકારક બોલવું. કાયગુપ્તિઃ શારીરિક ક્રિયાઓનો નિગ્રહ તે કાયગુપ્તિ. તેના બે પ્રકાર (૧) ઉપસર્ગ આવે ત્યારે અને ધ્યાનાવસ્થા સમયે શરીરની સ્થિરતા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy