________________
(ર) સૂતા કે જાગતાં કોઈપણ શારીરિક ક્રિયા - કાર્ય કરતાં સમયે શરીરનું નિયમન કરવું. ભાષાસમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે – સાવદ્યભાષાનો સંપૂર્ણ ત્યાગ તે ભાષાસમિતિ. સમિતિમાં સત્કાર્યમાં પ્રવૃત્તિ મુખ્ય હોય છે. અને ગુપ્તિમાં નિવૃત્તિ મુખ્ય હોય છે. તેથી નિરવદ્ય એવા પણ
વચનનો ત્યાગ તે વચનગુપ્તિ. ૩. પરીષહ :
ચારે બાજુથી સહન કરવું પરીષહ. અર્થાત્ નિર્જરાર્થે સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાં તેને પરીષહ કહેવાય. તે પરીષહો બાવીસ છે.
૧. ભૂખને સમભાવ પૂર્વક સહન કરવી તે ક્ષુધા પરીષહ. ૨. તૃષા-તરસને સમભાવ પૂર્વક સહન કરવી તે તૃષા પરીષહ. ૩. ઠંડી એટલે શીત હવાને શાંતભાવે સહન કરવી તે શીત પરીષહ. ૪. આકુળ-વ્યાકુળ થયા વિના ઉષ્ણતા-ગરમીને સમભાવપૂર્વક સહન કરે તે ઉષ્ણ પરીષહ ૫. ડાંસ-મચ્છર વગેરે જીવોના ઉપદ્રવથી થતી પીડાને મનમાં ઉદ્વેગ રાખ્યા વિના શાંતિપૂર્વક સહન કરે તે દંશ-મસક પરીષહ. ૬. અચેલ યાને વસ્ત્રરહિત (જિનકલ્પી) અને મર્યાદિત - અલ્પ વસ્ત્રધારણ કરનાર (સ્થવર કલ્પી). વસ્ત્ર ચાહે મેલું, જૂનું કે નવું હોય તો પણ મનમાં દિનતા કે હર્ષ ન કરે તે. અચેલ પરીષહ ૭. સ્વીકારેલ ચારિત્રમાં મનને ઉદ્વિગ્ન કરનાર કોઈપણ પરિસ્થિતિને સમભાવપૂર્વક સહન કરવી તે અરતિ પરીષહ. ૮. કોઈ પણ સ્થળે ગમા-અણગમાનો ભાવ રાખ્યા વિના કલ્પાનુસાર વિહાર કરવો = વિચરણ કરવું તે ચર્યાપરીષહ. ૯. સ્ત્રીના અંગોપાંગના દર્શન કે સ્પર્શનમાં પણ વિષયેચ્છાને વશ ન થાય, ચિત્તને સમભાવમાં રાખે તે સ્ત્રી પરીષહ. ૧૦. શૂન્ય ઘર, સ્મશાન વગેરેમાં ધ્યાન-સ્વાધ્યાય આદિ કરતાં ઉપસર્ગથી ભય પામ્યા વિના શાંતિથી સહન કરીને તે સ્થાનમાં સ્થિર રહેવું તે નિષદ્યા પરીષહ.
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org