SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે સામાન્યથી આઠ કર્મના આશ્રવનું સ્વરૂપ જાણવું. શુભકર્મોનો આશ્રવ તે પુણ્યતત્ત્વ અને અશુભકર્મોનો આશ્રવ તે પાપતત્ત્વ. આમ પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વનો આશ્રવતત્ત્વમાં સમાવેશ થતો હોવાથી કોઈ સાતતત્ત્વ પણ માને છે. ॥ આશ્રવતત્ત્વપૂર્ણ ॥ સંવરતત્ત્વ આત્મામાં થતા કર્મપ્રવેશનું જેના દ્વારા રૂંધન થાય તે સંવર, અર્થાત્ આશ્રવનો નિરોધ તે સંવર. સંવર આત્માના શુદ્ધ પરિણામ (અધ્યવસાય) રૂપ છે. ‘સંપ્રિયન્ત નિષ્યન્તે ર્મારગન મેન ભાવેન સ સંવર: ।' આ સંવરના ૫૭ ભેદ દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર છે. समिइ गुत्ति परिसह जधम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस बार पंच भेएहिं सगवन्ना ।। ૧. સમિતિ : - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીષહ, - સાધકની સમ્યક્-વિવેકયુક્ત પ્રવૃત્તિ તે સમિતિ. શ્રમણને સંયમધર્મનું સુચારુ જતન થાય તેવા પ્રકારે જીવન નિર્વાહની ક્રિયાઓ ગોઠવવી. આ ક્રિયાઓ જેવી કે – ચાલવું, બોલવું, જીવન માટે આવશ્યક વસ્તુઓ મેળવવી, વસ્તુઓ સાવધાની પૂર્વક લેવી, મૂકવી, નિરર્થક પદાર્થોનો ત્યાગ કરવો વગેરે ક્રિયાઓ સભ્યપ્રવૃત્તિ રૂપે ત્યારે બને જ્યારે આ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવામાં આવે ત્યારે તેને સત્પ્રવૃત્તિરૂપ સમિતિ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારની છે. ઇર્યાસમિતિ : ઇર્યા = ગમન. ઉપયોગપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ. સાધક ચાલતા સમયે ચિત્તની ચંચળતાનો ત્યાગ કરી, ચિત્તને જ્ઞાનના ઉપયોગમાં જોડી, નીચી દૃષ્ટિ રાખી, સાડાત્રણ હાથ પ્રમાણ જમીન જોઈને વિવેકપૂર્વક ચાલે તેને ઇર્યાસમિતિ કહેવાય. Jain Education International ભાષાસમિતિ : ભાષા યાને બોલવું. સાધક હિત, મિત, પરિમિત, અર્થાત્ હિતકારક, પ્રમાણસર અને ગંભીરતાયુક્ત વિવેકપૂર્વક ભાષા બોલે તેને ભાષાસમિતિ કહેવાય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy