________________
૧૩. પ્રાયયિકી ક્રિયા : બીજાની ઉન્નતિ જોઈ રાગ-દ્વેષ કરવાથી જે
ક્રિયા લાગે તે પ્રાત્યયિકી ક્રિયા. ૧૪. સામંતોપનિપાતિકી ક્રિયા: ઘર, નાટક, સરકસ વગેરે જોવા ઘણા
લોકો ભેગા થયા હોય ત્યાં પોતાની વસ્તુના વખાણ સાંભળી આનંદ પામે અથવા સાચી-ખોટી વાત લોકોને કહેવાથી લાગતી ક્રિયા તે સામંતોપનિપાતિકી અથવા ગોરસ, દૂધ, ઘી, તેલ રસયુક્ત પદાર્થોના વાસણ ખુલ્લા રહી જવાથી ઘણાં જીવોનો નાશ થાય તેના દ્વારા જે ક્રિયા લાગે તે સામંતોપનિપાતિકી
ક્રિયા. ૧૫. નેશસ્ત્રિકી ક્રિયા : રાજાજ્ઞાથી હિંસાકારી સાધનો બનાવવાથી જે
ક્રિયા લાગે અથવા યંત્ર દ્વારા કૂવો વગેરે ખોદવાથી જે ક્રિયા
લાગે તે નેશસ્ત્રિકી ક્રિયા. ૧૭. સ્વાહસ્તિકી ક્રિયા : પોતાના હાથે જીવ હિંસા કરે અથવા શસ્ત્ર
આદિ દ્વારા જીવહિંસા કરે તે સ્વાહસ્તિકી ક્રિયા. ૧૭. આજ્ઞાપનિકી ક્રિયા : સત્તાબળ કે વિદ્યાબળથી જીવ કે અજીવ
ઉપર આજ્ઞા કરવી અથવા જીવ કે અજીવને આનયન એટલેકે
મંગાવવું તે આજ્ઞાનિક ક્રિયા. ૧૮. વિદારણિકી ક્રિયા : સજીવ કે નિર્જીવને ફોડવા, ફાડવા કે
- વિદારવાથી જે ક્રિયા લાગે તે વિદારણિકી ક્રિયા. ૧૯. અનાભોગ્યની ક્રિયા ? ભૂલથી કે ઉપયોગ ન રહેવાના કારણે
અવિધિથી વસ્તુ લેવા-મૂકવાથી જે ક્રિયા લાગે તે અનાભોગ્યની
ક્રિયા. ૨૦. અનવકાંક્ષિકી ક્રિયા : સ્વ-પર હિતને વિચાર્યા, સમજ્યા વિના
લોકવિરુદ્ધ આચરણ= દુષ્કૃત્ય કરવાથી લાગતી ક્રિયા તે
અનવકાંક્ષિકી ક્રિયા. ૨૧. પ્રાયોગિકી ક્રિયા : મન, વચન, કાયાના સાવઘવ્યાપારો અર્થાત્
દુષ્ટ પ્રવૃત્તિથી થતી ક્રિયા તે પ્રાયોગિકી ક્રિયા. ૨૨. સામુદાયિકી ક્રિયા : જે ક્રિયા દ્વારા ઘણા લોકો ભેગા મળી કર્મબંધ કરે તે સામુદાયિકી ક્રિયા.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org